મુંબઈ: અજય દેવગનની પહેલી ફિલ્મ ‘ફુલ ઔર કાંટે’માં તેમની હિરોઈન મધુ શાહએ તેમના કરિયર અંગે ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, ‘તેમની પહેલી ફિલ્મના માત્ર ચાર દિવસના શૂટિંગ પછી જ તેમને રિપ્લેસ કરી દેવામાં આવી હતી.’ મધુના જણાવ્યા મુજબ, ‘તેમની પહેલી ફિલ્મ માટે ચાર દિવસ શૂટિંગ પણ કર્યું હતું. આ પછી પ્રોડ્યૂસર અને ડિરેક્ટરે મને જાણ કર્યાં વગર મને રિપ્લેસ કરી દીધી હતી.’
મધુએ જણાવ્યા મુજબ તેને ફિલ્મમાંથી બહાર કાઢી દેવામાં આવી હતી. તેને જોઈ હું ખરાબ રીતે તૂટી ગઈ હતી. મારી સાથે થયેલા આ વર્તનથી હું જ નહીં પણ મારો પરિવાર અને મિત્રો પણ હેરાન હતા.
મધુએ જણાવ્યું કે, ‘હું એટલી દુઃખી હતી કે આખી રાત રડતી રહી અને સવારે મારે કોલેજ જવા માટે પણ મારા પરિવાર સાથે વાત કરવી પડી હતી. જોકે તે સમયે ધીરે-ધીરે પસાર થઈ ગયો અને તે સમયને યાદ કરી આજે પણ કંપી ઉઠું છું.’
જોકે મધુએ કહ્યું કે, ‘તે ઘટનાએ મને આખી બદલી નાખી છે. જ્યારે પણ તે ઘટના વિશે વિચારું છું ત્યારે મને લાગે છે કે આજે જે કંઈ પણ છું તે બધું તેને લીધે જ છે. જો મારી સાથે તે બધું ન થાત તો હું અહીં નહોત. તે ફિલ્મમાંથી બહાર થવાને લીધે મને વધારે મહેનત અને લગનથી કામ કરવાની તક મળી જેનો મને ફાયદો પણ થયો.’
જોકે મધુએ કહ્યું કે, ‘તે ઘટનાએ મને આખી બદલી નાખી છે. જ્યારે પણ તે ઘટના વિશે વિચારું છું ત્યારે મને લાગે છે કે આજે જે કંઈ પણ છું તે બધું તેને લીધે જ છે. જો મારી સાથે તે બધું ન થાત તો હું અહીં નહોત. તે ફિલ્મમાંથી બહાર થવાને લીધે મને વધારે મહેનત અને લગનથી કામ કરવાની તક મળી જેનો મને ફાયદો પણ થયો.’
મધુ શાહને મણિરત્નમની ફિલ્મ ‘રોઝા’ માટે પણ લોકો ઓળખે છે. મધુએ આમ તો તમિલ ફિલ્મ ‘અઝગન’થી કરિયરની શરૂઆત કરી હતી. જોકે તેમની પહેલી બૉલિવુડ ફિલ્મ ‘ફુલ ઔર કાંટે’ હતી. આ ફિલ્મ તે સમયની બ્લૉકબસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી.
મધુએ ‘પહેચાન’, ‘એલાન’, ‘પ્રેમ યોગ’, ‘જાલીમ’, ‘બ્રહ્મા’, ‘જનતા કી અદાલત’, ‘દીયા ઔર તુફાન’, ‘હથકડી’, ‘જલ્લાદ’, ‘રાવણ રાજ’, ‘હમ હૈ બેમિસાલ’, ‘દિલજલે’, ‘ઉડાન’, ‘યશવંત’, ‘હપ્તા વસુલી’, ‘ખોટે સિક્કે’, ‘જુલ્મ-ઓ-સિતમ’, ‘સિર ઉઠા કે જિઓ’, ‘ચહેરા’, ‘મુલાકાત’, ‘ટેલ મી ઓખુદા’ અને ‘લવ યુ કલાકાર’ જેવી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.
બંને દીકરીઓ અમેય અને કિયા સાથે મધુર શાહ.