બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત આ દુનિયામાં રહ્યા નથી. 34 વર્ષીય અભિનેતાએ 14 જૂને મુંબઇ સ્થિત તેમના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. તેમના આકસ્મિક અવસાનથી ચાહકો અને બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગ હચમચી ઉઠ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના ચાહકો સતત તેમની યાદોને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. આ દરમિયાન તેમની પ્રથમ બાઈક અંગે ખુલાસો થયો છે.
હકીકતમાં, સુશાંત સિંહ રાજપૂતના ઘણા ફોટા આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેમાંથી એક તેમની બાઈક સાથે પણ છે. વાયરલ થઈ રહેલી તસવીરમાં તે પીળા રંગની બાઇક પર બેઠા જોવા મળી રહ્યા છે. તસવીર જોતા કહી શકાય કે સુશાંત સિંહ રાજપૂતની આ ખૂબ જ જૂની તસવીર છે. આ તસવીર સાથે સોશિયલ મીડિયા પર એવા સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે સુશાંત સિંહ રાજપૂતે બાળકોને ટ્યુશન ભણાવીને આ પહેલી બાઇક ખરીદી હતી.
સુશાંત સિંહ રાજપૂત એન્જિનિયરિંગના વિદ્યાર્થી હતા. તેઓ ફિલ્મોમાં આવતાં પહેલાં ટ્યુશન કરાવતા હતા. આ બાઇક તેમણે ફક્ત ટ્યુશનના પૈસાથી જ ખરીદી હતી. જો કે, અમે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમાચારોની પુષ્ટિ કરતા નથી. વાયરલ થઈ રહેલી સુશાંત સિંહ રાજપૂતની આ પોસ્ટ પર તેના ચાહકો પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન પછી તેના નજીકના મિત્રો તેમની સાથે જોડાયેલી યાદોને સતત શેર કરી રહ્યાં છે. અભિનેત્રી સંજના સંઘીએ સોશિયલ મીડિયા પર તેમની ખાસ તસવીરો શેર કરી અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા તેમણે લખ્યું- ‘જે લોકો કહેતા હતા કે સમય ઘા મટાડશે તે લોકો ખોટું બોલી રહ્યા હતા. એવું લાગી રહ્યું છે કે ઘા તાજા થઇ અને લોહી વહી રહ્યું છે. તે ક્ષણો જે કાયમ માટે યાદો બની જશે. અમે એકસાથે હસ્યા પણ આવું ફરી ક્યારેય નહીં થાય ‘
અભિનેત્રી એ આગળ લખ્યું ‘એવા સવાલો જેના જવાબો મળશે નહીં. અવિશ્વાસ એવો જે માત્ર વધે છે. આ ઘામાં એક ફિલ્મ પણ શામેલ છે. એક ભેટ છે જેને હજી બધાએ જોવાની બાકી છે. આપણા દેશના બાળકો, તેમના શિક્ષણ અને તેમના ભવિષ્યના સપનાઓ,યોજનાઓ અને ઈચ્છાઓનો સમાવેશ થાય છે જે પૂર્ણ થશે.’
‘હું વચન આપું છું કે આ દરેક સપનાને પૂરા કરવા માટે હું બધું કરીશ જેમ આપ હંમેશાં મારી પાસેથી ઇચ્છતા હતા. તમે વચન આપ્યું હતું કે આપણે બધા સાથે મળીને કામ કરીશું.’ તમને જણાવી દઈએ કે સંજના સંઘી સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ દિલ બેચારાથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.