ભારત અને ચીન વચ્ચે તણાવપૂર્ણ માહોલ છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ રશિયાના ત્રણ દિવસીય પ્રવાસ પર ત્યાં પહોંચ્યા છે. મુલાકાત દરમિયાન રાજનાથ સિંહ ટૂંક સમયમાં એસ -400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પૂરી પાડવાનો આગ્રહ રાખી શકે છે. જણાવી દઈએ કે, ભારત અને રશિયા વચ્ચે એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ એસ-400ની ડીલ 2018 માં ફાઈનલ થઈ હતી.
એસ -400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને વિશ્વની સૌથી એડવાન્સ માનવામાં આવે છે. ભારતને તેની ઉપર લગભગ 5 અબજ ડોલર અથવા 40,000 કરોડ રૂપિયા ખર્ચ કરવા પડશે. ટ્રમ્પે પ્રશાસન દ્વારા યુએસ પ્રતિબંધોની ચેતવણીની અવગણના કરતા ઓક્ટોબર 2018માં ભારતે રશિયા સાથે એસ -400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમના પાંચ એકમો ખરીદવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તે દેશનો સૌથી મોટો સંરક્ષણ સોદા હશે. ઉલ્લેખનીય છેકે, ચીન પાસે આ પહેલેથી જ છે.
એસ -400 સંરક્ષણ સિસ્ટમ શું છે
તે એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે જે આકાશમાંથી દુશ્મન વિમાનને તોડી શકે છે. એસ-400ને રશિયાની સૌથી એડવાન્સ લોન્ગ રેંજ સર્ફેસ-ટુ-એર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ માનવામાં આવે છે. તે દુશ્મનનાં ક્રુઝ, વિમાન અને બેલિસ્ટિક મિસાઇલોને શૂટ કરવામાં સક્ષમ છે. સિસ્ટમ એ રશિયાથી જ એસ -300નું અપગ્રેડ કરેલું સંસ્કરણ છે. આ મિસાઇલ સિસ્ટમ અલ્માઝ-આન્ટેએ ડિઝાઇન કરી છે, જે 2007 થી રશિયામાં સેવા આપી રહી છે. તે એક જ રાઉન્ડમાં 36 વાર કરવામાં સક્ષમ છે.
ભારતને તેની કેમ જરૂર છે
એર ચીફના જણાવ્યા અનુસાર, એસ-400 ભારતીય વાયુ સેના માટે ‘બૂસ્ટર શૉટ’ હશે. ભારતને પડોશી દેશોના ખતરા સાથે સામનો કરવાની જરૂર છે. પાકિસ્તાનમાં 20 ફાઇટર સ્ક્વોડ્રન અપગ્રેડ એફ-16 માં સજ્જ છે. આ સિવાય તેની પાસે ચીનથી મળેલાં મોટી સંખ્યામાં જે-17 છે. પાડોશી દેશ અને હરીફ ચીનમાં 1,700 ફાઈટર છે, જેમાં 800 4-જનરેશનનાં ફાઈટરનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોની અછતએ દુશ્મનો સાથે વ્યવહાર કરવાની તેની ક્ષમતાને અસર કરી છે. આ જ અઠવાડિયામાં એરફોર્સના ચીફ ધનોઆએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કોઈ પણ દેશ ભારત જેવા ખતરાનો સામનો કરી રહ્યો નથી. આપણા દુશ્મનોની નીયત રાતોરાત બદલાઈ શકે છે. આપણે આપણા હરીફો સાથે વ્યવહાર કરવા માટે પૂરતી તાકાત એકત્રિત કરવાની જરૂર છે.
ચીનમાં પહેલાથી છે એસ -400
ચીન રશિયા પાસેથી આ ડિફેન્સ સિસ્ટમ ખરીદનારો પ્રથમ દેશ છે. ગવર્નમેન્ટ-ટુ-ગવર્નમેન્ટ ડીલ હેઠળ તેણે 2014 માં આ સિસ્ટમ લીધી હતી. ચીનને રશિયાએ સપ્લાય પણ શરૂ કરી દીધી છે. જોકે, ચીનને વિતરણ કરાયેલી મિસાઇલ સિસ્ટમ્સની સંખ્યા વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. ભારત સિવાય રશિયા આ સિસ્ટમ કતારને વેચવા માટે વાતચીત કરી રહ્યુ છે.
રશિયાએ એપ્રિલ 2007 માં તૈનાત કર્યું
400 કિલોમીટર સુધી માર કપરનારી આ સિસ્ટમને રશિયાએ 28 એપ્રિલ 2007માં તૈનાત કરી હતી. તે હાલનાં યુગની સૌથી અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ છે. નિષ્ણાંતોના મતે ઇઝરાઇલ અને અમેરિકાની મિસાઇલ સંરક્ષણ ડિફેન્સ પણ મજબૂત છે, પરંતુ તેમની પાસે લાંબા અંતરની મિસાઇલો છે. તેના બદલે, રશિયામાં ટૂંકા-અંતરવાળી, મજબૂત-હિટ મિસાઇલ સંરક્ષણ સિસ્ટમ છે. તે એરક્રાફ્ટને મારવામાં સક્ષમ છે, જેનાથી ભારત પર હુમલો થવાનું જોખમ રહેલું છે.
1967 માં, સોવિયતે એસ -200 સિસ્ટમ બનાવી
1967 માં, સોવિયત સંઘે એસ -200 અંગારા એર ડિફેન્સ સિસ્ટમ વિકસાવી હતી. ત્યારબાદ 1978 માં એસ -300ને ડેવલોપ કરાઈ હતી. તેઓ આજે પણ ઉપયોગમાં લેવાય છે. ત્યારબાદ, 28 એપ્રિલ, 2007 ના રોજ, રશિયાએ એસ -400 મિસાઇલ સંરક્ષણ સિસ્ટમ તૈનાત કરી. રશિયા વર્ષ 2020 સુધીમાં એસ -500 મિસાઇલ સિસ્ટમની તૈનાતીની તૈયારીમાં છે.