Only Gujarat

National TOP STORIES

5 દિવસ પહેલાં કર્યા હતા લવ મેરેજ, પત્નીએ ખાધો ગળાફાંસો તો પતિએ ટ્રેન આગળ ઝંપાલાવ્યું

હરિયાણામાં એક એવી દર્દનાક ઘટના સામે આવી છે જે જાણીને બધાં હતપ્રત રહી ગયા છે. જીવનભર સાથે રહેવાનો વાયદો કરનારા એક સુંદર દંપતીએ પોતાનું જીવન દર્દનાક રીતે ખતમ કરી નાખ્યું. પ્રેમ લગ્ન કર્યાને પાંચ દિવસ બાદ જ નવદંપતીએ આપઘાત કરી લીધો. પહેલા પત્નીએ ઘરમાં ફાંસી લગાવી લીધી તો તેના થોડા સમય બાદ પતિએ પણ ટ્રેન નીચે કૂદી આપઘાત કરી લીધો.

આ ચોંકાવનારી ઘટના સોનીપત જિલ્લાના મયૂર વિહારમાં સોમવાર 2 જુનના રોજ સામે આવી છે. અહીં પતિ મનજીત અને પત્ની આરતીએ એક જ દિવસે આપઘાત કરી લીધો. બંને એક બીજાને ખુબ જ પ્રેમ કરતાં હતા પરંતુ બંને આવું પગલું ભરી લેશે તેવું તેમના પરિવારજનોએ સપનામાં પણ વિચાર્યું ન હતું.

ઉલ્લેખનીય છે કે મનજીત અને આરતીએ પોતાના પરિવારની મંજુરીથી 27 મેના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્નથી બંને ખુબ જ ખુશ હતા. પરંતુ આજે આ પરિવારની તમામ ખુશી માતમમાં ફેરવાઇ ગઇ છે. પાંચ દિવસ પહેલા જ્યાં આરતી અને મનજીતે દુલ્હા-દુલ્હન બની મંડપમાં 7 ફેરા લીધા હતા. હવે બંનેની એક સાથે અરથી નીકળી હતી.

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને સોંપી દીધા હતા. થાના પ્રભારી રવિ કુમારે જણાવ્યું કે આરતી અને મનજીતે આપઘાત કેમ કર્યો તે અંગે હાલ કોઇ જાણકારી મળી નથી પરંતુ આ મામલે તપાસ ચાલુ છે.

યુવતીના પરિવારજનોએ જણાવ્યું કે ઘણા સમય થઇ ગયો હોવા છતા આરતીએ દરવાજો ન ખોલ્યો તો અમે જોરથી દરવાજો ખખડાવ્યો તેમ છતા કોઇ અવાજ ન આવ્યો તો અમે દરવાજો તોડી નાખ્યો. જેવા અમે અંદર પ્રવેશ્યા તો આરતી ફાંસીના ફંદા પર લટકી રહી હતી. બાદમાં પરિવારજનોએ આ વાતની જાણ પોલીસને કરી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે સોનીપતમાં રહેતા મનજીત ચંદીગઢ હાઇકોર્ટમાં ક્લાર્કની નોકરી કરતો હતો. જ્યારે પિનાના ગામમાં રહેતી આરતી સરકારી નોકરી માટે કોચિંગ ક્લાસ કરી રહી હતી. આ દરમિયાન બંનેની મુલાકાત થઇ અને બાદમાં પ્રેમ થઇ ગયો હતો. પ્રેમ થયા બાદ બંનેના પરિવારજનોની મંજુરીથી લગ્ન કર્યા હતા.

You cannot copy content of this page