રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હેડ મુકેશ અંબાણીએ વર્ષ 1985માં નીતા અંબાણી સાથે લગ્ન કર્યા હતા. મુકેશ અંબાણી માટે નીતાને ધીરૂભાઈ અંબાણીએ પસંદ કર્યા હતા. મુકેશ અને નીતા અંબાણીના ત્રણ બાળકો છે- ઈશા, આકાશ અને અનંત. નીતા અંબાણી અનેક વાર ઈન્ટરવ્યૂઝમાં પતિના વખાણ કરી ચુકી છે. એવા જ એક ઈન્ટરવ્યૂમાં નીતા અંબાણી જણાવ્યું હતું કે જો તે બદલવા માંગે તો એક એવી વસ્તુ છે જે મુકેશ અંબાણીમાં બદલવા માંગશે. (તસવીરોઃ સોશિયલ મીડિયા)
નીતા અંબાણીએ હિંદુસ્તાન ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેના પતિ મુકેશ અંબાણીની સૌથી સારી વાત એ છે કે, તે ખૂબ જ સરળ અને વિનમ્ર સ્વભાવના છે.
નીતાએ જણાવ્યું કે મુકેશ અંબાણીની દૂરદર્શિતાની કાયલ છે. નીતા અંબાણી ન માત્ર રિલાયન્સ પરંતુ દેશ માટે પણ ખાસ વિઝન રાખે છે.
ઈન્ટરવ્યૂમાં નીતાને જ્યારે પૂછવામાં આવ્યું કે તે પોતાના પતિની કઈ એક આદત બદલવા ઈચ્છશે. જેમના જવાબમાં તેમણે કહ્યું કે- ભોજન માટે મુકેશની દીવાનગી. નીતાએ જણાવ્યું હતું કે પોતાના પતિમાં જે વાનગીઓ પ્રત્યે ચાહત છે તેમાં ફેરફાર કરવા ઈચ્છશે.
જણાવી દઈએ કે ઈડલી અને સાંભાર મુકેશ અંબાણીના પસંદગીના વ્યંજનોમાંથી એક છે. તેમને મુંબઈના કાફે મૈસૂરના ઈડલી સાંભાર ખાવાના પસંદ છે.
કાફે મૈસૂર મુકેશ અંબાણીને તેમના કૉલેજના દિવસોથી પસંદ છે. ત્યાં તેઓ ઈડલી સાંભાર જમવા જાય છે અને ઘરે પણ મંગાવે છે.