Only Gujarat

Sports

આ એક કારણે ઐશ્વર્યા રાયે લગ્નના થોડાં સમય પછી બદલ્યું હતું મંગળસૂત્ર

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર સાથે જોડાયેલા અનેક કિસ્સા, ફોટો અને વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હોય છે. એવામાં અત્યારે ઐશ્વર્યા રાય બચ્ચનના મંગળસૂત્ર સાથે જોડાયેલો એક કિસ્સો સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા રાયે અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા પછી થોડાં જ સમયમાં તેમનું મંગળસૂત્ર બદલ્યું હતું. તે સમયે ઐશ્વર્યા રાયે મંગળસૂત્ર બદલતા લોકોના મનમાં અનેક સવાલો થયાં હતાં. અમે તમને જણાવીએ ઐશ્વર્યા રાય બચ્ચને કેમ લગ્ન પછી તેમનું મંગળસૂત્ર બદલ્યું હતું.

ઐશ્વર્યા રાયની પર્સનલ લાઇફ હંમેશા ચર્ચામાં રહે છે. ફેન્સ પણ એક્ટ્રસ સાથે જોડાયેલી માહિતી મેળવવા ઈચ્છે છે. એવામાં દરેકને સવાલ થાય કે ઐશ્વર્યા રાયે લગ્ન પછી કેમ તેના મંગળસૂત્રની ડિઝાઈન બદલી દીધી હતી.

ઐશ્વર્યા રાયે અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યાના થોડાં વર્ષ પછી તેમનું મંગળસૂત્ર બદલ્યું હતું. આ મંગળસૂત્રની કિંમત તે સમયે 45 લાખ રૂપિયા કહેવામાં આવી રહી હતી. અત્યારે આ મંગળસૂત્ર બદલાવનું કારણ સામે આવ્યું છે, જેને સાંભળી કોઈ પણ વ્યક્તિ આશ્ચર્યમાં પડી શકે છે.

19 એપ્રિલ 2007માં ઐશ્વર્યા રાયે અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતાં. લગ્નમાં ઐશ્વર્યા રાયે નીતા લુલ્લાની ડિઝાઈન કરેલી કાંજીવરમ સાડી પહેરી હતી.

ઐશ્વર્યા રાયે લગ્નના દિવસે પહેરેલી સાજીની કિંમત તે સમયે 75 લાખ રૂપિયા હતી. ફેરા ફર્યા પછી અભિષેક બચ્ચને ઐશ્વર્યા રાયને મંગળસૂત્ર પહેરાવ્યું હતું, જેની કિંમત તે સમયે 45 લાખ રૂપિયા હતી.

લગ્ન પછી જ્યારે ઐશ્વર્યા પતિ સાથે તિરુપતિ બાલાજી દર્શન કરવા ગઈ ત્યારે લોકોની નજર તેમના મંગળસૂત્ર પર પડી હતી. ઉલ્લેખનીય છે કે, લગ્નના થોડાં વર્ષ પછી ઐશ્વર્યાનું મંગળસૂત્ર બદલાઈ ગયું હતું.

ઐશ્વર્યા રાયનું મંગળસૂત્ર લાંબુ અને બે લેયરવાળું હતું, પણ મંગળસૂત્ર માત્ર એક નેકલાઇનને જ ટચ કરી રહ્યું હતું. તેની દોરી પણ હલકી થઈ ગઈ હતી. રિપોર્ટ મુજબ, ઐશ્વર્યા રાયે તેમની દીકરી આરાધ્યાના જન્મ પછી મંગળસૂત્રમાં બદલાવ કર્યો હતો.

રિપોર્ટ્સ મુજબ, દીકરીને હેવી જ્વેલરીથી મુશ્કેલી ના થાય તે માટે આ નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે, અત્યારે આરાધ્યા 8 વર્ષની થઈ ગઈ છે.

You cannot copy content of this page