મુંબઇઃ આખા દેશમાં ચાલી રહેલા લોકડાઉન દરમિયાન બોલીવૂડના સેલેબ્સની જિંદગી સાથે જોડાયેલી કેટલીક દિલચસ્પ વાતો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી હતી. એક કિસ્સો અજય જાડેજા અને માધુરી દીક્ષિતને લઇને પણ વાયરલ થઇ રહ્યો છે. આજે વાત કરીએ આ બને સેલેબ્સની લવ સ્ટોરી વિશે. બંને ક્યાં અને કેવી રીતે મળ્યાં અને ત્યારબાદ બંનેના સંબંધમાં એવો ક્યો વળાંક આવ્યો કે આ સંબંધનો અંત આવી ગયો
ઇન્ડસ્ટ્રીમાં માધુરીના અફેયરના કિસ્સા અનેક છે. તેમનું નામ કો – સ્ટાર અનિલ કપૂર, સંજય દત્ત તથા જેકી શ્રોફ, સાથે પણ જોડાઇ ચૂક્યું છે. આ સિવાય અન્ય કેટલાક એવા સ્ટાર છે. જેની સાથે માધુરી દીક્ષિતનું નામ જોડાતું આવ્યું છે. જોકે, તેમણે કોઇને પરવાહ નહોતી. માધુરી દીક્ષિત એક સમયનો ફેમસ હેન્ડસમ ક્રિકેટર અજય જાડેજા પર ફિદા હતી. પરંતુ જાડેજાની એક ભૂલના કારણે તેમનું દિલ તૂટી ગયું અને સંબંધનો પણ અંત આવી ગયો.
બહુ બધી સુપરહિટ ફિલ્મમાં કામ કરનાર માધુરી ક્રિકેટર અજય જાડેજા પર ફિદા હતી. બંનેને પહેલી મુલાકાત એક મેગેઝિનના ફોટો શૂટ દરમિયાન થઇ હતી.
પહેલી મુલાકાતમાં જ ધક ધક ગર્લ માધુરી ક્રિકેટર અજયથી ઇમ્પ્રેસ થઇ ગઇ હતી. અને તેના તરફ ખૂબ આકર્ષિત થઇ ગઇ હતી. ત્યારબાદ તો અજય જાડેજા અને માધુરી દીક્ષિતના પ્રેમ સંબંધની વાતો બી ટાઉનમાં ચર્ચાનો વિષય બની ગઇ હતી. આ સ્થિતિમાં ફિલ્મ ડાયરેક્ટર્સને પણ એક નવી જોડી મળ્યાની એક આશા જાગી હતી.
માધુરીની ભલામણના કારણે એક પ્રોડ્યૂસરે તો અજયને ફિલ્મ બ્રેક આપવાની જાહેરાત પણ કરી દીધી. માધુરી સાથેના સંબંધની અસર જાડેજાના ક્રિકેટ પર પડવા લાગી. મીડિયામાં બંનેના અફેયરના સમાચાર વારંવાર આવતા રહેતા.
જોકે અજય જાડેજાના પરિવારને આ સંબંધ મંજૂર નહોતો. ફેમિલીના પ્રેશર બાદ અજય ક્રિકેટમાં ધ્યાન આપવા લાગ્યો. આ સમય દરમિયાન જ જાડેજાનું નામ અઝરૂદીન સાથે મેચ ફિક્સિંગમા આવી ગયું. જોકે આ સમાચાર બાદ માધુરીનું દિલ તૂટી ગયું અને તેમણે જાડેજાથી દૂર જવા માટે મનોમન નક્કી કરી લીધું.
આ ઘટના બાદ માધુરી સંજય દત્તને પસંદ કરવા લાગી. 1991માં આવેલી ફિલ્મ ‘સાજન’ દરમિયાન બંને ઘણા નજીક આવી ગયા હતા. ફિલ્મમાં રોમાન્સ કરતા કરતા બંને એક બીજાને ચાહવા લાગ્યા હતા. બંનેની નિકટતા વધતી ગઇ. બંને લગ્ન કરવાનું પણ વિચારતા હતા પરંતુ ‘ખલનાયક’ બાદ સંજય દત્ત જેલમાં ગયો ત્યારબાદ આ સંબંધ પર પણ માધુરી દીક્ષિતે પૂર્ણવિરામ મુકી દીધું.
માધુરી દીક્ષિતે ડો.શ્રીરામ નેને સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી તેને બે બાળકો છે. લગ્ન કરીને થોડાં વર્ષો માધુરી દીક્ષિત અમેરિકામાં રહી હતી. જોકે, પછી તે પતિ તથા બંને દીકરાઓ સાથે ભારત પરત ફરી હતી. માધુરીએ પોતાનું પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું છે. હાલમાં માધુરીનો પતિ તેના મેનેજર તરીકે કામ કરે છે.