Only Gujarat

Bollywood

સંજય દત્તની પુત્રી ત્રિશાલા અને પત્ની માન્યતાની ઉંમરમાં છે આટલું મોટું અંતર

બોલિવૂડ એક્ટર સંજય દત્ત પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે અંગત જીવનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. પછી તે તેના અફેર વિશે હોય કે લગ્ન વિશે. દર વખતે સંજુ બાબા સમાચારમાં રહે છે. સંજય દત્તના પહેલા લગ્ન રિચા શર્મા સાથે થયા હતા. રિચા અને સંજયને એક પુત્રી ત્રિશાલા દત્ત પણ છે. ત્રિશાલા તેના નાના-નાની સાથે યુએસમાં રહે છે. રિચા પછી સંજયે રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ માન્યતા સાથે લગ્ન બંધનમાં બંધાયો હતો. ત્રિશલા ભાગ્યે જ ભારત આવે છે. ચાલો તમને જણાવીએ કે ત્રિશાલા અને તેની સાવકી માતા માન્યતા વચ્ચેની ઉંમરનું અંતર કેટલું છે.

ત્રિશાલા અને માન્યતા વચ્ચે ઉંમરનો તફાવત શું છે?
માન્યતા દત્ત અને તેની પુત્રી ત્રિશાલાની ઉંમરમાં માત્ર 10 વર્ષનો તફાવત છે. હા, ત્રિશાલા તેની માતા કરતા 10 વર્ષ નાની છે. માન્યતાનો જન્મ 22 જુલાઈ 1978ના રોજ થયો હતો જ્યારે ત્રિશાલાનો જન્મ વર્ષ 1988માં થયો હતો.

બોલિવૂડથી દૂર રહે છે ત્રિશાલા
સંજય દત્ત અને રિચા શર્માના લગ્ન 1987માં થયા હતા. 1996માં બ્રેઈન ટ્યુમરને કારણે તેમનું અવસાન થયું હતું. જે બાદ ત્રિશાલા અમેરિકામાં તેના નાના-નાની સાથે રહે છે. તેનો ઉછેર ત્યાં થયો હતો. ત્રિશાલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના ગ્લેમરસ ફોટા શેર કરતી રહે છે પરંતુ તેણે સ્પષ્ટ કરી દીધું છે કે તે બોલિવૂડમાં એન્ટ્રી નથી કરવાની.

ત્રિશાલા એક સાયકોથેરાપિસ્ટ છે. માન્યતાની વાત કરીએ તો તે પોતાના પરિવાર સાથે વધુ સમય વિતાવે છે. તેને બે જોડિયા બાળકો ઇકરા અને શારાન છે. તે પોતાના બાળકોના ઉછેરમાં વ્યસ્ત રહે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. તે દરરોજ તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સંજય દત્ત છેલ્લે રણબીર કપૂર સાથે ફિલ્મ શમશેરામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી પરંતુ સંજય દત્તની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા.

You cannot copy content of this page