અમદાવાદઃ રાજયોગ નામ પરથી સમજાય છે કે જે જાતકના જીવનમાં રાજયોગ હોય તેને તમામ પ્રકારની સુખ સુવિધા, માન-સન્માન, પદ-પ્રતિષ્ઠા તથા ઐશો આરામ મળે છે. રાજયોગનું સુખ ઘણાં જ ઓછા લોકોને મળે છે. જેમના ભાગ્યમાં રાજયોગનું સુખ લખ્યું હોય તેઓ રાજાની જેમ જીવન જીવે છે. કોઈ પણ વ્યક્તિના જીવનમાં રાજયોગનું સુખ છે કે નહીં તે વાતની માહિતી હસ્તરેખા શાસ્ત્ર પરથી મળી શકે છે.
કોઈ પણ વ્યક્તિનું માથું પહોળું તથા આગળ પડતું હોય તો તેમને રાજયોગનું સુખ મળે છે.
લાંબા હાથ, સુંદર આંખો તથા ગોળ મોંઢાવાળા વ્યક્તિને રાજયોગ જેવી સુખ-સુવિધા મળે છે.
જે વ્યક્તિના હાથમાં ધનુષ, ચક્ર, કમળ, ધ્વજા, રથ તથા ચતુષ્કોણ જેવા નિશાન બને છે, તેમને મહાલક્ષ્મીની વિશેષ કૃપા મળે છે.
જો કોઈ વ્યક્તિની હથેળી પર માછલી, હાથી કે પછી છત્રી જેવા નિશાન હોય ત તેને યશની પ્રાપ્તિ મળે છે.
શનિ પર્વત પર ત્રિશૂળનું નિશાન હોય કે પછી ભાગ્ય રેખા હથેળીની વચ્ચે શરૂ થઈને તેની એક શાખા ગુરુ પર્વત કે સૂર્ય પર્વત પર જાય તો વ્યક્તિ રાજસુખનો આનંદ ઉઠાવી શકે છે.