સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ તેના મિત્ર સેમ્યુઅલે સોશિયલ મીડિયા પર શેર કર્યુ હતુ. તેમણે કહ્યું હતું કે એક સમય એવો હતો કે, સારા અલી ખાન અને સુશાંત એકબીજા સાથે ઘણા કંફર્ટેબલ લાગતા હતા અને કેદારનાથના પ્રમોશન દરમિયાન બંનેની કેમિસ્ટ્રી બની હતી, પરંતુ આ ફિલ્મ પછી બંને અલગ દેખાવા લાગ્યા.
સેમ્યુલે એમ પણ કહ્યું હતું કે મૂવી માફિયા બંનેના બ્રેકઅપ માટે જવાબદાર હોઈ શકે છે. આ પછી કંગના રનૌતે પણ સેમ્યુઅલની પોસ્ટ પર ટ્વિટ કરીને કહ્યું હતું કે, આખરે એવું કેમ છેકે, નેપોટિઝમનાં ફેન્સી કિડ્સ આઉટસાઈડર્સને સપના દેખાડે છે અને તેમને છોડી દે છે. કંગનાએ ફરી એક વાર પોતાના એક ઇન્ટરવ્યુમાં સારા અને સુશાંતના સંબંધો વિશે વાત કરી છે અને સુશાંત-સારાના ક્યાંક બ્રેકઅપ માટે કરીના કપૂરને દોષી ઠેરવી છે.
અભિનેત્રી કરીના કપૂર ખાને એકવાર સારાને કહ્યું હતું કે તેણે તેના પહેલા હીરોને ડેટ ન કરવો જોઈએ. કંગનાએ જણાવ્યું હતું કે તેઓ જ્યારે ડેટ કરી રહ્યા હતા તો તેણે સુનિશ્ચિત કર્યુ કે તે બંનેનું બ્રેકઅપ થઈ જાય.
કરીનાએ એક ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું છે કે સારાએ તેના પ્રથમ એક્ટરને ડેટ ન કરવું જોઈએ, તેથી તેણે ખુલ્લેઆમ સુશાંતને શરમમાં મૂક્યો. જ્યારે તે આઈસોલેટ થયો તો,તેની આસપાસ એક અન્ય ગ્રુપ હતું જેણે તેને ઈમોશનલ રૂપે ખતમ કરી નાંખ્યો હતો અને તેણે જે કર્યું તે બધાની સામે છે.
નોંધપાત્ર વાત એ છે કે કંગનાએ એમ પણ કહ્યું હતું કે ઉદ્યોગમાં 99 ટકા લોકો ડ્રગ્સનો ઉપયોગ કરે છે. કંગનાના આ નિવેદન પર ઉર્મિલા માટોંડકરે તેના પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે કંગનાએ આગળ આવીને આ લોકોનાં નામ લેવાં જોઈએ અને આખા ઉદ્યોગને બદનામ ન કરવો જોઇએ.
ઉર્મિલાએ કહ્યું હતું કે સુરક્ષા લીધા પછી પણ કંગના મુંબઈ આવી છે અને તે પછી પણ તેણે એનસીબીને બોલીવુડના ડ્રગ માફિયાના નામ આપ્યા નથી, જ્યારે તેમના ટ્વિટમાં તેણે કહ્યું હતું કે તે આવું કરશે. ત્યારે, કંગનાએ ઉર્મિલા માતોંડકરના નિવેદનો પર પ્રતિક્રિયા આપી હતી અને તેમને ‘સોફ્ટ પોર્ન સ્ટાર’ ગણાવી હતી, ત્યારબાદ સોશિયલ મીડિયા પર કંગનાની આકરી ટીકા થઈ હતી.