કોરોના વિરુદ્ધ લડાઈમાં આ ગ્રામ પંચાયતે લીધો સૌથી મોટો નિર્ણય જે જાણીને તમને થશે ગર્વ
ભારત સહિત લગભગ સમગ્ર દુનિયા કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહી છે. દેશમાં કોરોના વાયરસને પહોંચી વળવા માટે પ્રદેશ અને કેન્દ્ર સરકાર તમામ રસ્તા અપનાવી રહી છે. હવે સરકારના હાથ મજબૂત કરવા માટે સાઇબર સિટી ગુરુગ્રામની અરબપતિ પંચાયતે આગળ આવી રહી છે. ગુરુગ્રામમાં અનેક એવી પંચાયતો છે જે પોતાના તમામ રૂપિયા અનુદાન કરવા તૈયાર બેઠી છે.
સંયુક્ત નિર્દેશક એનસીઆર સૂચના તથા જનસંપર્ક અધિકારી અશોક સાંગવાને જણાવ્યું કે ગુરુગ્રામની અરબપતિ પંચાયતોએ હરિયાણા સરકાર દ્વારા બનાવવામાં આવેલા કોરોના રિલીફ ફંડમાં 42 કરોડ 50 લાખ રૂપિયાનું અનુદાન આપવાનો નિર્ણય લીધો છે. તો શિકોહપુર અને ઢોરકા પંચાયતે 21-21 કરોડ રૂપિયા મુખ્યમંત્રી કોરોના રીલિફ ફંડમાં અનુદાન કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ પલડા પંચાયત 50 લાખ રૂપિયા આપવા જઇ રહી છે.
કોરોના મહામારીથી નીપટવા માટે મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે હરિયાણા કોરોના રીલિફ ફંડ બનાવ્યું છે. આ ફંડમાં અનેક સંખ્થાઓને અનુદાન કરવાની અપીલ કરવામાં આવી હતી. જેને ધ્યાને રાખતા પ્રદેશની આર્થિક રાજધાની ગણાતા શહેર ગુરુગ્રામની અરબપતિ પંચાયતો મુખ્યમંત્રીની સાથે ઉભી છે.
પલડા, ઢોરકા, સિકોહપુરની પંચાયતોએ કોરોના રીલિફ ફંડમાં કરોડો રૂપિયાનું અનુદાન આપવાનું નક્કી કર્યું છે. આ માટે હરિયાણા સરકારને અપ્રૂવલ લેવા માટે પત્ર મોકલ્યો છે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પલડા પંચાયતની મંજુરી સરકારે સ્વીકારી લીધી છે જ્યારે અન્ય પંચાયતો પણ ટૂંક સમયમાં મંજુરી આપી દેવામાં આવશે. આ પંચાયતોમાંથી શિકોહપુર એક એવી પંચાયત છે જેની પાસે 100 કરોથી વધુ રકમ છે. આ પહંચાયત અગાઉ પણ અન્ય પંચાયતોને 20 કરોડ રૂપિયા આપી મદદ કરી ચૂકી છે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પલડા પંચાયતની મંજુરી સરકારે સ્વીકારી લીધી છે જ્યારે અન્ય પંચાયતો પણ ટૂંક સમયમાં મંજુરી આપી દેવામાં આવશે. આ પંચાયતોમાંથી શિકોહપુર એક એવી પંચાયત છે જેની પાસે 100 કરોથી વધુ રકમ છે. આ પહંચાયત અગાઉ પણ અન્ય પંચાયતોને 20 કરોડ રૂપિયા આપી મદદ કરી ચૂકી છે.
સૌથી વધુ કેસ ગુરુગ્રા, ફરીદાબાદ, પલવન, નૂંહમાં સામે આવ્યા છે. આ ચારેય જિલ્લાને સરકારે રેડઝોન જાહેર કર્યા છે. એવામાં કોરોના સામેની લડાઇમાં ગ્રામપંચાયતો પણ આગળ આવી રહી છે. તો સૂત્રોનું કહેવું છે કે ગુરુગ્રામની અનેક પંચાયતો હજુ પણ ફંડ આપવાનું વિચાર કરી રહી છે.