Only Gujarat

FEATURED National

ગૌતમ ગંભીર માત્ર બોલતો જ નથી પરંતુ કરી પણ બતાવે છે, હવે કર્યું એવું કામ કે…

નવી દિલ્હીઃ કોરોનાની સામે જંગમાં ભાજપનાં સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. હવે તેમણે પોતાની નોકરાણીનાં અંતિમ સંસ્કાર કર્યા છે. કહેવાઈ રહ્યુ છે કે તેમના ઘરે 6 વર્ષોથી મદદનીશ કામ કરતી હતી. અને લોકડાઉનને કારણે તેમનું શબ ઓરિસ્સા પહોંચાડી શકાયું નહોતુ.

એટલું જ નહી ગંભીરે ટ્વીટ કરીને તેને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. સરસ્વતી પાત્રા છેલ્લાં 6 વર્ષોથી ગૌતમ ગંભીરના ઘરે કામ કરતી હતી. ગંભીરે ટ્વીટ કર્યુ હતુ. મારા બાળકોની સાર-સંભાળ રાખનારી તથા ઘરમાં મદદ કરતાં હવે રહ્યા નથી. તેઓ મારા પરિવારનો હિસ્સો હતા. તેમનાં અંતિમ સંસ્કાર કરવા એ મારી ફરજ હતી.

ગંભીરે આગળ લખ્યુ, મારું માનવું છે કે વ્યક્તિ કોઈ પણ જાતિ, ધર્મ, વર્ગ, સામાજીક દરજ્જાનો હોય, તે સન્માનના હકદાર હોય છે. તેનાંથી આપણે એક સારો સમાજ અને દેશ બનાવી શકીએ છીએ. ઓમ શાંતિ.

21 એપ્રિલે થયુ હતુ નિધનઃ 49 વર્ષનાં સરસ્વતી પાત્રા ઓરિસ્સાનાં જાજપુરનાં રહેવાસી હતા. તેમને સુગર અને હાઈબ્લડપ્રેશરની બીમારી હતી. તેમને હાલમાં જ દિલ્હીમાં ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 21 એપ્રિલે તેમનું નિધન થઈ ગયુ હતુ.

ગૌતમ ગંભીરના આ પગલાના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વખાણ કર્યાં હતાં. તેમણે કહ્યુ હતું કે ગંભીરનાં આ નેક કામને કારણે લાખો ગરીબોના મનમાં માણસાઈનો વિશ્વાસ ઉંડો થઈ જશે, જેઓ કમાણી માટે ઘરથી દૂર જાય છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page