ઉત્તરપ્રદેશના બિજનૌરમાં થયેલી યુવકની હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે મૃતકના બે મિત્રની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીની કબૂલાત બાદ પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલ તમંચો અને બાઇક પણ જપ્ત કરી છે. હત્યાને અંજામ આપવા પાછળનું કારણ અપમાનનો બદલો લેવાનું હતું.
યુવકે પુત્રના નામકરણ કાર્યક્રમમાં સામેલ થવા આવેલા પોતાના મિત્રને પત્ની સાથે છેડતી કરતાં ઠપકો આપ્યો હતો અને ઘરેથી ભગાડી મૂક્યો હતો. આ વાતથી રોષે ભરાયેલા મિત્રએ યુવકની ગોળી મારી હત્યા કરી દીધી હતી.
બિજનૌરના ગામ ભીમપુરામાં 2 દિવસ પહેલા રસ્તા કિનારે ગોળી લાગેલી હાલતમાં એક યુવક મહાવીરની હત્યાના કેસમાં પોલીસે ખુલાસો કર્યો છે. પોલીસે મહાવીરની હત્યા કરનારા તેના બે મિત્રની તમંચા અને મોટરસાઇકલ જપ્ત કર્યા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક મહાવીરના પુત્રનું બે દિવસ પહેલા નામકરણ સંસ્કાર હતું જેમાં સંબંધીઓની સાથે તેના બે મિત્ર પણ આવ્યા હતા. રાતે પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ મહાવીરના મિત્ર સત્યેન્દ્ર તેના રૂમમાં જતો રહ્યો અને મહાવીરની પત્ની સાથે છેડછાડ કરવા લાગ્યો. આ ઘટના જ્યારે મહાવીરે નજરે જોઇ તો તે વિરોધ કરવા લાગ્યો અને ઠપકો આપી સત્યેન્દ્રને ઘરેથી ભગાડી મૂક્યો.
આ વાતથી નારાજ થઇ સત્યેન્દ્રએ પોતાના મિત્ર નરપાલની સાથે મળી રાતે ફોન કરી મહાવીર સાથે વાત કરી બહાનું કરી ઘરેથી થોડે દૂર લઇ ગયા. બાદમાં ગોળીમારી મહાવીરની હત્યા કરી ફરાર થઇ ગયા.
સવારે રસ્તા કિનારે મહાવીરની લાશ પડેલી મળી આવી હતી ત્યારબાદ પોલીસે તપાસ કરી બંને મિત્રોની ધરપકડ કરી લીધી છે. ઘટનામાં વપરાયેલા તમંચા અને બાઇક પણ જપ્ત કર્યા. ત્યારબાદ બંને આરોપીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.