અંજલિ ઉર્ફે નેહા મહેતાએ કેમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલ કેમ છોડી તેને લઈ થયો ખુલાસો
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલિ મહેતાની ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી નેહા મહેતાને આ શો છોડવો પડ્યો. સુત્રોના જણાવ્યા અનુસાર, નેહા અને શોના નિર્માતા અસિત મોદી વચ્ચેના તફાવતને કારણે તેણીને આ મોટો નિર્ણય લેવો પડ્યો. એવું માનવામાં આવે છે કે નેહા અસિત મોદી સાથે વાત કરીને વસ્તુઓનું યોગ્ય રીતે નિરાકરણ લાવવામાં અસમર્થ હતી.
ઘણીવાર સેટ પર રોઈ પડતી હતી
સેટ પર હાજર સૂત્રોએ જણાવ્યું કે, “નેહા છેલ્લા 12 વર્ષથી આ શોનો એક ભાગ છે. સ્વાભાવિક છે કે તે સેટ પર તેની આસપાસના લોકો પાસેથી પોતાને માટે થોડા આદરની અપેક્ષા રાખે. જો કે, તે થયું નહીં. તેને નાની-નાની બાબતોમાં પરેશાન કરવામાં આવતી હતી. તે ઘણીવાર સેટ પર રડતી હતી.સેટ પર કેટલીક વખત આવી પરિસ્થિતિઓ ઉભી કરવામાં આવતી હતી જ્યાં તેઓ સાચા હોવા છતાં પણ ચુપ રહેવું પડતું.
થોડા મહિના પહેલા મેકર્સ અને તેની વચ્ચે તકરાર થઈ હતી અને ત્યારબાદ મેકર્સે કહ્યું હતું કે જો તેઓ કામ કરવા માંગતા ન હોય તો તેઓ ખુશીથી છોડી શકે છે. પોતાનાં સન્માન માટે, નેહાએ શો છોડવાનો નિર્ણય લેવો પડ્યો. આ વર્ષે ફેબ્રુઆરીમાં નિર્માતાઓએ નેહાને આ શો છોડી દેવાનું કહ્યું હતું, જોકે તે સમયે કોઈ નિર્ણય પર મ્હોર લાગી ન હતી.
ત્યારબાદ લોકડાઉન થવાને કારણે શોનું શૂટિંગ અટકી ગયું હતું. આ સમય દરમિયાન તેમનો પ્રોડક્શન ટીમ સાથે કોઈ સંપર્ક નહોતો. હા, અસિત મોદીએ એકથી બે વાર તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, જોકે નેહા તે સમયે તેની અંગત કમિટમેન્ટ્સમાં વ્યસ્ત હતી, જેના કારણે તે તેમની સાથે વાત કરી શકી નહોતી.”
અન્યાય પણ થયો હતો
સૂત્રો આગળ કહે છે, “નેહા માત્ર સેટ પર ગૌરવ જાળવવા માંગતી હતી. તેણીની સાથે કોઈક રીતે અન્યાય થયો હતો. શરૂઆતમાં, નેહા તેને અવગણવા માંગતી હતી, એવું વિચારીને કે સંબંધોમાં નાની-મોટી તકરાર થતી રહે તેની અસર કામ પર ન થવી જોઈએ. પરંતુ થોડા સમય પછી, તેણીએ તેના સન્માન માટે આ શો છોડી દેવાનો નિર્ણય કર્યો.તેના કહેવા પ્રમાણે, ઘણા લોકો તેમનાથી પ્રેરિત છે, તે તેમની સામે ખોટું ઉદાહરણ બનવા માંગતી નથી. તેથી તેણે શો છોડીને આગળ વધવાનું નક્કી કર્યું. જ્યારે તેણે નિર્માતાની સામે જવાની વાત કરી હતી, ત્યારે નિર્માતાએ તે સમયે તેની વાત પર સંમતિ આપી હતી. ”
દરેક અંત પછી એક નવી શરૂઆત થાય છે: નેહા મહેતા
આ સમાચારની પુષ્ટિ કરવા માટે, નેહા મહેતાનો સંપર્ક કરાયો હતો, જેમા તેણે કહ્યું હતું કે, “હું અસિત જીનો ખૂબ આદર કરું છું અને હું ઇચ્છું છું કે તેઓ આ વિશે પહેલા પોતાની વાત રાખે. તેઓ જે કહેશે તે હું આદરથી સ્વીકારીશ. હું કરીશ. મીડિયા અને અમારા પ્રેક્ષકો ઉપર મને ઘણો વિશ્વાસ છે દરેક અંત પછી એક નવી શરૂઆત થાય છે હું ખૂબ જ પોઝિટિવ છું અને આશા છે કે હું ભવિષ્યમાં લોકોનું મનોરંજન કરતી રહીશ. આપણે બધા અત્યારે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ, આવા સમયે, આપણે બધાએ એકબીજાને ટેકો આપવો જોઈએ. ”
દિશા વાકાણી અને નેહા મહેતા પછી હવે ગુરચરણસિંહ ઉર્ફે રોશન સિંહ સોઢીએ પણ શો છોડી દીધો છે. તેના રિપ્લેસમેંટની શોધ પુરી થઈ ગઈ છે, ત્યારબાદ બલવિંદર સિંહ પુરીએ આ શો માટે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.