દિલ્હીના સીરો સર્વેમાં બહાર આવ્યું છે કે લગભગ એક ચતુર્થાંશ લોકોને કોરોનાથી કોઈ પણ સમસ્યા વિના ઈમ્યૂનિટી મળી છે. તેમને કોઈ રસીની જરૂર નથી. એટલે કે, આ લોકો હવે કોઈ પણ અવરોધ વિના બહાર આવી-જઈ શકે છે. દિલ્હી જેવા વિસ્તારો, જ્યાં કોરોના જૂન મહિનામાં આટલા મોટા પાયે ફેલાયેલો હતો, ત્યાં એક ચતુર્થાંશ વસ્તીએ ઈમ્યૂનિટી મેળવવી તે મોટી વાત છે. જો આ જ ટ્રેંડ દેશના બાકીના ભાગોમાં રહ્યો તો લગભગ 34–38 કરોડ લોકોમાં ઈમ્યૂનિટી ડેવલોપ થઈ હોત. એક ટીવી ચેનલ સાથે વાત કરતાં ડો.સરીને એમ પણ કહ્યું હતું કે આ ડેટા આખા દેશ માટે ખૂબ સારા સંકેત છે. તેમણે કહ્યું કે સપ્ટેમ્બર સુધીમાં કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. ICMR એ દેશભરમાં આવો જ એક સર્વે કર્યો છે. દિલ્હીમાં સ્થાનિક સ્તરે એક સર્વે કરવામાં આવ્યો છે. એ જ રીતે, વિવિધ વિસ્તારોમાં ચેપના આધારે સીરો સર્વે કરી શકાય છે, જેથી જાણી શકાય કે કેટલા લોકોએ ઈમ્યૂનિટી વિકસાવી છે.
દિલ્હીમાં દર મહિને કરાશે સીરો ટેસ્ટ
દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે સરકારે દર મહિને સીરો સર્વેલન્સ કરાવવાનો નિર્ણય કર્યો છે. દર મહિને 1થી 5 તારીખની વચ્ચે સિલેક્ટેડ વિસ્તારોમાં રેન્ડમલી લોકોનો એન્ટી બોડી ટેસ્ટ કરવામાં આવશે. આનાથી દિલ્હીમાં કોરોનાના પ્રસારને સમજવામાં સરળતા રહેશે.
કોરોનાનો કહેર સાઉથ-વેસ્ટ દિલ્હીમાં સૌથી ઓછો
સીરો સર્વેના આંકડા દર્શાવે છે કે સેન્ટ્રલ અને નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અહીં સીરોનો વ્યાપ દર 28 ટકાથી વધુ હોવાનું જણાયું હતું.
11માંથી 8 જિલ્લાઓમાં 20%થી વધુ સીરો પ્રિવેલેંસ
દિલ્હીના 11 જિલ્લાઓમાંથી 8 માં સીરો પ્રિવેલેંસ 20 ટકાથી વધુ હતો. સેન્ટ્રલ,નોર્થ-ઈસ્ટ અને શાહદરામાં 27% થી વધુનો વ્યાપ છે. જૂનમાં સરેરાશ 3,900 કેસ નોંધાયા બાદ મંગળવારે દિલ્હીમાં પહેલીવાર 1000 થી ઓછા કેસ (954) નોંધાયા હતા.
77% વસ્તી જોખમમાં છે: નિષ્ણાંત
NCDCના ડાયરેક્ટર ડો.સુજિતકુમાર સિંહના જણાવ્યા અનુસાર, દિલ્હીના 77% લોકો હજી જોખમમાં છે. તેમણે કહ્યું, “આ જ જોશ સાથે કન્સલ્ટમેન્ટ પગલાં ચાલુ રાખવા જોઈએ. ફિઝીકલ ડિસ્ટન્સ, ફેસ માસ્કનો ઉપયોગ, હાથની સ્વચ્છતા અને ખાંસતી વખતે નિયમોનું પાલન કરવું જરૂરી છે.”
‘છ મહિનામાં ફક્ત 22.86% વસ્તી પ્રભાવિત થવી સારા સમાચાર’
સિંહના જણાવ્યા અનુસાર, “રોગચાળાના લગભગ છ મહિના પછી, ફક્ત 22.86% લોકો જ અસરગ્રસ્ત છે. ચેપને રોકવા માટે લોકડાઉન અને અન્ય કંટેનમેંટ પગલાં આને આભારી છે.
કોરોના નિયંત્રણના પગલા ઉપયોગમાં આવ્યા છે
નીતિ આયોગના સભ્ય અને કોવિડ -19 પ્રતિસાદ ટીમના વડા ડ઼.વિનોદ પૉલ મુજબ, ICMRએ પહેલાં જે સીરો સર્વે કર્યો હતો, તેમાં દિલ્હીમાં 9-11% પ્રિવલેંસ હતી. હવે જે વસ્તીમાં સર્વે થયો છે, ત્યાં વધુ કેસ છે. ડૉ. પોલના જણાવ્યા મુજબ, આ આંકડા જે આ રીતે આવ્યા છે તે દર્શાવે છે કે લીધેલા પગલાઓની અસર થઈ છે.
દિલ્હી કોરોના પીકથી પસાર થઈ ગઈ છે
ડૉ.પોલ એમ કહેતા ખચકાતા નથી કે દિલ્હીએ કોરોનાનું શિખર જોયું છે. તેમણે કહ્યું કે ચેપ પર નજર રાખવાની જરૂર છે. તેમણે કહ્યું કે વાયરસ એન્ટિબોડીઝવાળા લોકોને ‘પસંદ કરે છે’ તેથી સાવચેતી રાખવી જોઈએ.
કેમ સીરો સર્વેની જરૂર પડી?
ડો.સુજિત સિંહના જણાવ્યા અનુસાર, કોવિડ દર્દીઓની સારવાર કરવામાં RT-PCRઅને રેપિડ એન્ટિજેન ટેસ્ટ મદદગાર છે. જ્યારે એન્ટિબોડી ટેસ્ટનો ઉપયોગ કોઈ વસ્તીમાં ચેપ ફેલાવવા માટે થાય છે. સર્વેલન્સ નેટવર્ક્સથી એસિમ્પ્ટોમેટિક કેસિઝ સહિત અમુક લોકો બચી જાય છે. તેનાંથી વસ્તીમાં વાયરસ કેટલો ફેલાયો છે તેની જાણ થતી નથી. સીરો સર્વેથી વસ્તીમાં ચેપનો ખ્યાલ આવે છે.
જૂનમાં ઉપર, જુલાઈમાં નીચે જઈ રહ્યો છે કોરોના
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર,વધેલાં ટેસ્ટિંગથી કેસિઝને પહેલાં ઓળખવામાં મદદ મળી, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને પોઝીટીવ કેસોના આઈસોલેશનથી ટ્રાન્સમિશન ઓછું થયું. જૂનના પહેલા અઠવાડિયામાં, દિલ્હીમાં દરરોજ 9,500 ટેસ્ટ થઈ રહ્યા હતા અને પોઝિટિવિટી રેટ 37% હતો. જ્યારે જુલાઇના પહેલા અઠવાડિયામાં, દૈનિક 25 હજારથી વધારે ટેસ્ટ થયા અને પોઝીટીવિટી રેટ ઘટીને 9% મળ્યો.
દિલ્હીમાં હવે કેસ ઘટશે
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં હવે કોરોના વાયરસના રોગચાળાના નવા કેસો દિવસેને દિવસે ઘટશે. કોવિડ મોનિટરિંગ કમિટીના સભ્ય ડો.ડી.કે.સરીને કહ્યું, “એવું લાગે છે કે આ રોગ ઝડપથી દિલ્હીમાં ફેલાયો છે. ઘણા લોકો એસિમ્પટોમેટિક હતા તેથી રૂટીન ટેસ્ટિંગથી પકડમાં આવ્યા નહી.”