‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આવ્યો જબરજસ્ત ટ્વિસ્ટ, ‘તૂફાન એક્સપ્રેસ’માંથી પોપટલાલને તગેડી મૂકાયા
મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં આ સમયે દરરોજ નાટકિય વળાંક જોવા મળી રહ્યો છે. લૉકડાઉન ખૂલ્યા પછી કામ પર પાછા જવાની ખુશી તો ગોકુલધામવાસીના ચહેરા પર જોવા મળી રહી છે, પણ અત્યારે કંઈ એવું થવાનું છે કે બધી ખુશીઓ પર પાણી ફરી જશે. આવનારા એપિસોડમાં તમને ખબર પડશે કે પોપટ લાલને તૂફાન એક્સપ્રેસમાંથી કાઢી મૂકવામાં આવશે. લૉકડાઉનને લીધે પોતાની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે.
‘તારક મહેતા’માં મોટો ટ્વિસ્ટ
છેલ્લાં એપિસોડમાં તમે જોયું હશે કે, ગોકુલધામ સોસાયટીના દરેક પુરુષો કામ પર પાછા જવા માટે ઉત્સાહિત છે. ખુદ રોશનસિંહ સોઢી દરેક લોકોને કામ પર મૂકવા જાય છે, પણ પોપટલાલ મિસિંગ જોઈ દરેક લોકો હેરાન થઈ જાય છે. જ્યારે તે પોપટલાલને તેમના ઘર પર શોધવા જાય છે, ત્યારે જાણ થાય છે કે, પોપટલાલને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. જેને લીધે પોપટલાલે ગોકુલધામ સોસાયટી છોડવાનું નક્કી કર્યું છે. તે ક્યાંક દૂર જવા માગે છે. લગ્ન કરવા માટે ઉત્સુક પોપટલાલ આ ઘટનાને સહન કરી શકતા નથી.
ગોકુલધામ છોડી દેશે પોપટ લાલ?
પોતાના પરિવારના એક સભ્યને આ રીતે જતાં જોઈ આખું ગોકુલધામ હેરાન થઈ ગયું છે. દરેક તેમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, પણ પોપટલાલે નક્કી કરી નાખ્યું છે. એવામાં હવે આવનારા એપિસોડમાં અને ઘણાં ટ્વીસ્ટ જોવા મળવાના છે. આમ તો સિરિયલની વાત કરીએ તો આ સમયે સારી ટીઆરપી મળી રહી છે. સિરિયલના કલાકારો પણ સારો પ્રેમ મળી રહ્યો છે.
આ ઉપરાંત તારક મહેતામાં એક કમી દરેક લોકોને લાગી રહી છે. સિરિયલમાં દયાબેને અત્યાર સુધી વાપસી કરી નથી. દિશા વકાણી અંગે ઘણાં સમાચારો સામે તો આવ્યા છે, પણ હંમેશા દરેક અટકળો સુધી તે સિમીત રહે છે. એવામાં અત્યારે પણ તેમના રોલ અંગે સસ્પેન્સ અકબંધ છે.