બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને બે મહિના વીતી ગયાં છે. સુપ્રીમ કોર્ટે હવે CBIના હાથમાં અભિનેતાના મોતની તપાસ સોંપી છે. જણાવી દઈએ કે, અભિનેતાના મોત બાદથી લોકો સુશાંત સિંહ રાજપૂતને ન્યાય અપાવવા માટે સતત સોશિયલ મીડિયા પર એક અભિયાન ચલાવી રહ્યા હતા. ત્યારે હવે લોકોની આ ઝુંબેશ સફળ રહી અને કેસની તપાસ CBIને સોંપવામાં આવી. હવે તાજેતરમાં સુશાંત સિંહ રાજપૂતની ભાણીએ અભિનેતા માટે ભાવનાત્મક પોસ્ટ લખી છે.
કાત્યાયની આર્ય રાજપૂતે તેની પોસ્ટમાં લખ્યું છે, “ગુલશન મામા, હું તમને યૂનિવર્સ કરતા વધારે પ્રેમ કરું છું. તમે પહેલા અને હજી પણ મારા માટે સૌથી કિંમતી વ્યક્તિ છો. મેં હંમેશાં વિચાર્યું હતું કે, ભવિષ્યમાં ક્યારેક-ક્યારેક આપણે આકાશને જોઈશું અને વાસ્તવિકતામાં રહસ્યવાદની ચર્ચા કરીશું.”
કાત્યાયની આર્ય રાજપૂતે સુશાંતસિંહ રાજપૂતને યાદ કરતાં આગળ લખ્યું કે, “જીવન વિશેની તમારી વાતો હંમેશા મને મંત્રમુગ્ધ કરે છે અને તમે હંમેશાં મને વધુ સારું કરવા પ્રેરણા આપી હતી. મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે મારે એક દિવસ આવો જોવો પડશે જ્યારે હું ક્યારેય તમારો અવાજ સાંભળી શકીશ નહીં.
લોકો તમારા વિશે જે વિચારે છે, તેના કરતાં તમે વધારે હતા, હું તમારા વિશે જે વિચારુ છું, તેના કરતાં તમે વધારે હતા, તમે પોતે તમારા વિશે જે વિચારતા હતા, તેના કરતાં તમે વધારે હતા, તમે એકવાર મને કહ્યું હતું કે, આપણે વાસ્તવમાં ક્યારેય મરતા નથી. અને હું તમારી વાત પર વિશ્વાસ કરવા માંગુ છું, પણ તે દિવસેને દિવસે મારા માટે મુશ્કેલ બની રહ્યું છે. ”
કાત્યાયની આર્ય રાજપૂતે આગળ લખ્યું છે કે, “કાશ હું સામાનાંતર યૂનિવર્સમાં યાત્રા કરી શકતી, જ્યાં દુનિયાની એક સારી જગ્યા હોય અને આપણએ એક સાથે હસતા અને તારાઓને જોતા. તમારા બૌદ્ધિક મજાક પર હસતા. મેં હંમેશાં વિચાર્યું કે જ્યારે હું મોટી થઈશ, ત્યારે હું તમને પર્વતોમાં મારા ઘરે લઈ જઈશ અને તમારી આંખોમાં ગર્વ જોઈશ.
મેં મને સંતોષકારક સ્મિતથી જોશો, તમારું લોહી મારી નસોમાં દોડે છે અને હું તેનો સંપૂર્ણ ઉપયોગ કરીશ. હું તમને ગર્વ અનુભવ કરાવીશ. હું તમને હંમેશાં પ્રેમ કરીશ ગુલશન મામા.” લોકો કાત્યાયનીની આ પોસ્ટ પર ઘણી કમેન્ટ્સ કરી રહ્યા છે અને તેમની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.