Only Gujarat

Bollywood

સુશાંત સિંહ રાજપૂત અને આ ગુજરાતણ વચ્ચે હતું આ ખાસ કનેક્શન પરંતુ અચાનક જ..

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના નિધનને થોડા દિવસમાં મહિનો થઈ જશે. ઘણા ફેન્સ હજુ પણ સુશાંતના નિધનના કારણે આઘાતમાં છે. અમુક સેલેબ્સ આ ઘટનાના આટલા દિવસ બાદ પણ સામાન્ય થઈ શક્યા નથી અને ધીમે-ધીમે એક્ટર સાથે જોડાયેલી યાદોને શેર કરી રહ્યાં છે. આવી જ એક સ્ટાર છે રશ્મિ દેસાઈ. રશ્મિ અને સુશાંત સિંહ રાજપૂત એક સમયે સાથે ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા અને તેમની વચ્ચે સારી બોન્ડિંગ હતી. પરંતુ, સુશાંતના બોલિવૂડમાં આગળ વધવાની સાથે જ તેમની વચ્ચે કનેક્શન તૂટી ગયું.

સુશાંત અંગે ઘણું ગર્વ અનુભવતી હતીઃ રશ્મિ
રશ્મિએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,‘હું એક સમયે સુશાંતની નિકટની મિત્ર હતી પરંતુ ધીમે-ધીમે અમારી વચ્ચેનું કનેક્શન તૂટવા લાગ્યું કારણ કે તે બોલિવૂડમાં વ્યસ્ત થઈ ગયો અને હું ટીવી શોઝમાં વ્યસ્ત હતી. તે પોતાના લાઈફમાં કેટલું સારુ કામ કરી રહ્યો હતો અને અમે તેની માટે ગર્વ અનુભવી રહ્યાં હતા. મને તેના જવાનું દુઃખ છે, મારા મનમાં તેની પ્રત્યે ઘણું માન અને પ્રેમ છે. તેથી હું તેના વિશે વધુ ચર્ચા કરી શકીશ નહીં. સુશાંતનું જવું એ મારી માટે વ્યક્તિગત નુકસાન છે.’

રશ્મિએ કહ્યું કે, સુશાંત ટેલેન્ટ અને ગુડ લુક્સનું મિશ્રણ હતો અને તેનું જવુ સંપૂર્ણ ઈન્ડસ્ટ્રી માટે મોટા ઝાટકા સમાન છે. રશ્મિએ કહ્યું કે,‘સમયે દગો આપ્યો, એક વ્યક્તિ તરીકે તે શાનદાર હતો.’

ઉલ્લેખનીય છે કે, સુશાંતે 14 જૂને બાંદ્રાના ઘરે આત્મહત્યા કરી હતી જે પછીથી જ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ અને આઉટસાઈડર્સ અંગે ચર્ચા ચાલી રહી છે. સુશાંતનમી અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’ 24 જુલાઈએ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થશે. તાજેતરમાં આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું છે જેને ફેન્સ તરફથી શાનદાર રિસ્પૉન્સ મળી રહ્યો છે.

You cannot copy content of this page