Only Gujarat

Bollywood FEATURED

ત્રણ સંતાનોની માતાએ કર્યા બીજવર સાથે ત્રીજા લગ્ન પણ ચાર મહિના બાદ જ થયું એવું કે…

મુંબઈ/ચેન્નાઈઃ સાઉથ એક્ટ્રેસ વનિતા વિજયકુમાર ફરી એકવાર ચર્ચામાં છે. એક્ટ્રેસ અંગે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, લગ્નના 4 મહિના બાદ વનિતા વિજયકુમારે પોતાના પતિ પીટર પૉલની બરાબર ધોલાઈ કરી અને તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે પીટર પૉલ અને વનિતા વિજયકુમારે 4 મહિના અગાઉ 27 જૂનના લગ્ન કર્યા હતા.

એક્ટ્રેસના ત્રીજા લગ્ન 4 મહિના પણ ના ટક્યા
બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. પીટર પૉલના વનિતા વિજયકુમાર સાથે આ ત્રીજા લગ્ન હતા. આ અગાઉ વનિતા વિજયકુમારના પાછલા બંને લગ્ન તૂટી ચૂક્યા છે. વનિતા 3 બાળકોની માતા છે અને એક દીકરી તેની સાથે જ રહે છે. એવામાં પીટર પૉલ સાથેના ત્રીજા લગ્ન પર ઘણો હંગામો થયો હતો અને ઘણા લોકોએ વનિતાને સલાહ આપી હતી કે તે પીટર સાથે લગ્ન ના કરે.

ઈન્ડિયા ગ્લિટ્ઝની એક રિપોર્ટ અનુસાર, આ અંગે ડિરેક્ટર રવિન્દ્ર ચંદ્રશેખરને માહિતી આપી છે. આ સમાચારની પૃષ્ટિ કરતા તેમણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે,‘ખરેખર, આ સત્ય છે. તમામ લોકોની વાત સાચી સાબીત થઈ.’ બંને વચ્ચે વિવાદનો પ્રારંભ ગોવામાં થયો જ્યાં વનિતા પતિ અને દીકરી સાથે ફરવા ગઈ હતી.

આ તેમની લગ્ન બાદની પ્રથમ ટ્રીપ હતી. જોકે પીટરે અહીં ચિક્કાર દારૂ પીધો હતો. આ બાબતે તેનો અને વનિતા વચ્ચે ઝઘડો થયો અને વાત મારા મારી સુધી પહોંચી ગઈ હતી. ચેન્નાઈ પરત ફર્યા બાદ પણ પીટરના દારૂ પીવાની ટેવમાં કોઈ ફેર પડ્યો નહીં અને બંને વચ્ચે ફરી ઝઘડો થયો. જોકે તે પછી વનિતા પતિની બરાબર ધોલાઈ કરી અને તેને ઘરની બહાર કાઢી મૂક્યો હતો.

પીટર પૉલના પણ આ બીજા લગ્ન હતા. જે દિવસે તેણે વનિતા સાથે લગ્ન કર્યા હતા ત્યારે જ પીટરની પ્રથમ પત્ની એલિઝાબેથે તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

એલિઝાબેથે દાવો કર્યો હતો કે, તેના અને પીટરના છૂટાછેડા થયા નથી અને આ કારણે જ પીટર-વનિતાના લગ્નને કાયદેસર માન્યતા મળી શકે નહીં. જોકે પછીથી એવા અહેવાલ સામે આવ્યા હતા કે, વનિતા વિજયકુમાર અને પીટર પૉલે મળીને આ કેસને ઉકેલી લીધો હતો.

You cannot copy content of this page