મુંબઈઃ છેલ્લાં ઘણા સમયથી દિગ્ગજ એક્ટ્રેસ દીપ્તિ નવલ પોતાના સ્વાસ્થ્યના કારણે ચર્ચામાં હતી. એવા અહેવાલ હતા કે તેમને હાર્ટ અટેક આવ્યો હતો અને તેમની સ્થિતિ ઘણી ગંભીર હતી. એક્ટ્રેસે પોતાની હેલ્થ અંગે અપડેટ આપતા જણાવ્યું કે, હવે તેમને ડિસ્ચાર્જ કરી દેવાયા છે તથા સ્વાસ્થ્ય અગાઉ કરતા ઘણું સારું છે.
ન્યૂઝ એજન્સી સાથેની વાતચીત દરમિયાન દીપ્તિ નવલે જણાવ્યું કે, સોમવારે તેમણે મનાલીના એક હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી. મંગળવારે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામં આવ્યા. અગાઉ એવા અહેવાલ હતા કે, તેમને હાર્ટ એટેક આવ્યો હતો પરંતુ તેમણે કહ્યું કે- તેમનામાં હૃદય રોગ સંબંધિત લક્ષણ હતા.
68 વર્ષીય એક્ટ્રેસ છેલ્લા ઘણા સમયથી હિમાચલ પ્રદેશના રોહતાંગમાં છે. એક્ટ્રેસના ફેન્સ તેમની હેલ્થ અંગે ચિંતિત હતા. પરંતુ હવે એક્ટ્રેસે જાતે જ સંપૂર્ણ સ્વસ્થ હોવાની જાણ ફેન્સને કરી હતી.
ઉલ્લેખનીય છે કે, દીપ્તિ નવલ બોલિવૂડમાં પેરલલ સિનેમામાં એક મોટો ચેહરો રહી છે. લગભગ 80ના દાયકામાં પોતાના ફિલ્મી કરિયરનો પ્રારંભ કરતા દીપ્તિ નવલ હજુપણ ફિલ્મ્સમાં સક્રિય છે.
ઉલ્લેખનીય છે કે, દીપ્તિ નવલ બોલિવૂડમાં પેરલલ સિનેમામાં એક મોટો ચેહરો રહી છે. લગભગ 80ના દાયકામાં પોતાના ફિલ્મી કરિયરનો પ્રારંભ કરતા દીપ્તિ નવલ હજુપણ ફિલ્મ્સમાં સક્રિય છે.