Only Gujarat

Bollywood FEATURED

આ સેલેબ્સના થયા બે-બે વાર ડિવોર્સ, ફર્યાં ત્રીજીવાર ફેરા

બલિવૂડના ઘણા એવા સ્ટાર્સ છે જેમના બે-બે વાર ડિવોર્સ થઈ ગયા છે અને ત્રીજીવાર પર લગ્નના બંધનમાં બંધાયા છે. જ્યારે લિસ્ટમાં એક અભિનેત્રનું પણ નામ છે જે જાણીને તમને નવાઈ લાગશે. તો આવો આપણે જાણીએ કે કયા કયા સ્ટાર્સ છે જેમણે ત્રીજીવાર લગ્ન કર્યાં.

સંજય દત્ત
એક્ટર સંજય દત્તે ત્રણવાર લગ્ન કર્યા અને અત્યારે તે પોતાની ત્રીજી પત્ની માન્યતા દત્ત સાથે સારી જિંદગી જીવી રહ્યા છે. માન્યતા દત્ત પહેલાં સંજય દત્તે પહેલાં લગ્ન વર્ષ 1996માં ઋચા શર્મા સાથે કર્યાં હતાં. ઋચાનું કેન્સરની બીમારીને લીધે મોત થયું હતું. આ પછી સંજય દત્તે બીજા લગ્ન રિયા પિલ્લઈ સાથે કર્યાં હતાં. રિયા સાથે છૂટાછેડા પછી સંજય દત્તના જીવનમાં માન્યતાની એન્ટ્રી થઈ હતી.

કરણસિંહ ગ્રોવર
એક્ટર કરણ સિંહ ગ્રોવની જિંદગીમાં લગ્નની શરૂઆત વર્ષ 2008માં શરૂ થઈ હતી અને અત્યારે તે પોતાની ત્રીજી પત્ની બિપાશા બસુ સાથે રહે છે. કરણે વર્ષ 2008માં એક્ટ્રસ શ્રદ્ધા નિગમ સાથે લગ્ન કર્યાં હતાં જે થોડાક મબિના સુધી ટક્યા હતાં અને પછી બંનેએ છૂટાછેડા લીધા હતાં. આ પછી કરણ સિંહ ગ્રોવરે વર્ષ 2012માં એક્ટ્રસ જેનેફર વિંગેટ સાથે લગ્ન કર્યાં અને થોડાંક સમય પછી બંનેએ છૂટાછેડા લઈ લીધાં હતાં. જોકે, હવે કરણ અને બિપાશા એકબીજા સાથે ખુશીથી જીવી રહ્યાં છે.

સિદ્ધાર્થ રૉય કપૂર
આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે ફિલ્મમૅકર સિદ્ધાર્થ રૉય કપૂર. સિદ્ધાર્થે પહેલાં લગ્ન તેમની બાળપણની ફ્રેન્ડ સાથે કર્યાં હતાં. આ પચી તેમણે એક ટીવી નિર્માતા સાથે લગ્ન કર્યાં હતાં. બંનેના લગ્ન ટૂટ્યા પછી તેમણે એક્ટ્રસ વિદ્યા બાલન સાથે લગ્ન કર્યા અને હવે બંને એકબીજા સાથે ખુશ છે.

કમલ હાસન
સાઉથ સુપરસ્ટાર કમલ હાસને પણ ત્રણવાર લગ્ન કર્યાં છે. વર્ષ 1978માં કમલે ક્લાસિકલ સિંગર વાણી ગણપતિ સાથે લગ્ન કર્યાં હતાં. 10 વર્ષના લગ્નજીવન પછી બંને અલગ થઈ ગયાં અને કમલે સારિકા સાથે લગ્ન કરી લીધા હતાં. લગ્ન જલ્દી તૂટી ગયા અને પછી કમલ હાસને થોડાં સમય સુધી ગૌતમી સાથે લિવઇન રિલેશનશિપમાં રહેવાં લાગ્યા હતાં. કમલ હાસન અને ગૌતમીએ લગ્ન કર્યાની વાત સ્વીકારી નથી છતાં રિપોર્ટ મુજબ બંનેના લગ્નના દાવા થયાં છે.

નીલિમ અઝીમ
આ લિસ્ટમાં એક માત્ર એક્ટ્રસ નીલિમા અઝીમ છે. નીલિમાએ પહેલાં લગ્ન પંકજ કપૂર સાતે કર્યાં હતાં અને બંનેને એક દીકરો થયો હતો જેનું નામ શાહિદ કપૂર છે. પંકજ કપૂર સાથે સંબંધ પુરો થયાં પછી નીલિમાએ રાજેશ ખટ્ટ સાથે લગ્ન કર્યાં અને દીકરા ઇશાન ખટ્ટરને જન્મ આપ્યો પણ, લગ્નજીવન વધારે સમય સુધી ટક્યું નહીં. આ પછી નીલિમા અઝીમે વર્ષ 2004માં ઉસ્તાદ રજા અલી ખાન સાથે લગ્ન કર્યાં હતાં.

You cannot copy content of this page