Only Gujarat

Bollywood FEATURED

સુશાંત સિંહ રાજપૂતના પિતાને મળીને નાના પાટેકરની આંખમાંથી આવી ગયા આંસુ!

પટના: ફિલ્મ એક્ટર નાના પાટેકર રવિવારે(28 જૂન) સુશાંત સિંહ રાજપૂતના ઘરે પહોંચ્યા હતા. પરિવારજનોને મળી નાના પાટેકર ભાવુક થયા હતા. તેમણે સુશાંતના પિતાને હિંમત રાખવાનું કહી સાંત્વના આપી હતી. નાનાએ કહ્યું કે,‘સુશાંત એક નેક માણસ હતો. તેને ચોક્કસ ન્યાય મળશે. સુશાંતના નિધનથી સંપૂર્ણ દેશ દુ:ખી છે.’

નાના પાટેકર 2 દિવસની બિહાર યાત્રાએ હતા. તેઓ એક એનજીઓના કાર્યક્રમમાં મોકામા ગયા હતા. તે પછી તેઓ પટણા સ્થિત સુશાંતના ઘરે જઈ તેના પરિવાર સાથે મુલાકાત કરી હતી. 14 જૂને સુશાંતે મુંબઈ સ્થિત પોતાના ફ્લેટમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. શનિવારે તેરમું હતું, જે તેના પટણા સ્થિત ઘરે યોજાયું હતું. સુશાંતની આત્મહત્યા મુદ્દે મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે.

તાજેતરમાં ભોજપુરી સિંગર અને ભાજપના સાસંદ મનોજ તિવારી, ખેસારી લાલ યાદવ, અક્ષરા સિંહ પણ સુશાંતના ઘરે પહોંચી હતી. ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદી અને નેતા વિપક્ષ તેજસ્વી યાદવે પણ સુશાંતના પરિવારજનો સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે નાના પાટેકર બે દિવસ માટે બિહારની મુલાકાતે આવ્યા હતાં. તેઓ એક સ્વૈચ્છિક સંસ્થાના કાર્યક્રમ હેઠળ આવ્યા હતાં અને તેમણે આર્મી જવાનોની મુલાકાત પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના નિધનને કારણે ચાહકો આક્રોશમાં છે. ચાહકો માની રહ્યાં છે કે સ્ટારકિડ્સ તથા નેપોટિઝ્મને કારણે સુશાંતે આત્મહત્યા કરી છે. સુશાંતને છેલ્લાં છ મહિનામાં ઘણી ફિલ્મથી હાથ ધોવા પડ્યાં હતાં. આટલું જ નહીં એવું પણ માનવામાં આવે છે કે સુશાંત સિંહ પર બિગ બેનર્સે બૅન મૂક્યો હતો. આટલું જ નહીં તેઓ સુશાંતને પાર્ટીમાં પણ આમંત્રણ આપતા નહોતા અને તેને એકલો પાડી દીધો હતો.

You cannot copy content of this page