Only Gujarat

FEATURED Health

રાત્રે સૂતાં પહેલાં આ એક અંગ પર લગાવશો તો એટલા ચમત્કારિક ફાયદા મળશે કે નહીં થાય વિશ્વાસ

ધર્મ હોય કે આયુર્વેદ નાભિને શરીરનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. આ આપણા શરીરનું સેન્ટર પોઇન્ટ ગણાય છે. આયુર્વેદમાં એવી ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના ઉપયોગથી નાભિ દ્વારા આપણે ઘણી બીમારીઓમાં રાહત મેળવી શકીએ છીએ. આમાંનો જ એક ઉપાય છે રાત્રે સૂતાં પર નાભિ પર તેલ લગાવવું. જેનાથી ઘણા ફાયદા મળે છે. પરંતુ અલગ-અલગ સમસ્યાઓ માટે નાભિ પર અલગ-અલગ પ્રકારના તેલનો ઉપયોગ કરવાનું આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ, નાભિ પર કયું તેલ લગાવવાથી કઈ બીમારીમાં રાહત મળે છે.

બદામના તેલથી મળશે ગ્લોઇંગ સ્કીન
આજકાલના ભાગદોડવાળા જીવનમાં સ્ટ્રેસ અને ડિપ્રેશનની સમસ્યા બહુ જોવા મળે છે. જેની સૌથી વધારે અસર ત્વચા પર પડે છે. એટલે રાત્રે સૂતાં પહેલાં નાભિ પર બદામનું તેલ લગાવવાથી ડિપ્રેશનની સમસ્યા તો દૂર થાય જ છે, સાથે-સાથે સ્કીનનો ગ્લો પણ વધે છે. જ્યોતિષ અનુસાર ગુરૂ પ્રતિકૂળ હોય ત્યારે આવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એટલે આ તેલનું દાન પણ કરી શકાય છે. શનિ પ્રતિકૂળ હોય તો 21 શનિવાર સુધી વહેતા પાણીમાં બદામને પ્રવાહિત કરવી જોઇએ.

કોપરેલથી વાળ બનશે ચમકદાર
આયુર્વેદ અનુસાર જો પ્રજનન સંબંધિત કોઇ સમસ્યા હોય તો સૂતાં પહેલાં નાભિ પર કોપરેલ લગાવવું જોઇએ. તેનાથી પ્રજનન સંબંધિત સમસ્યા તો દૂર થાય જ છે, સાથે-સાથે વાળમાં પણ શાઇનિંગ આવે છે. આંખની પાંપણ પર થતી ડ્રાયનેસમાં રાહત મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં કોપરેલનો સંબંધ ચંદ્ર સાથે ગણાય છે.

લીમડાનું તેલ દૂર કરશે ખીલ
જો કોઇને ખીલની સમસ્યા સતાવતી હોય તો, રાત્રે સૂતાં પહેલાં નાભિ પર લીમડાનું તેલ લગાવવું જોઇએ. આયુર્વેદ અનુસાર, આ ઉપાયથી ખીલથી છૂટકારો મળે છે. જોકે ખાસ યાદ રાખવું, ખીલ મટી ગયા બાદ પણ આ ઉપાય ચાલું રાખવો, જેથી ફરીથી ખીલ થવાના શરૂ ન થાય. લીમડો બુધ અને શનિ બંને ગ્રહોના પ્રભાવમાં આવે છે.

સરસોના તેલથી વધશે આંખની રોશની
જો કોઇને એડીઓ ફાટવાનો સમસ્યા હોય કે સ્કીન ડ્રાય હોય તો તેમણે સૂતાં પહેલાં નાભિમાં સરસોનું તેલ લગાવવું જોઇએ. તેનાથી એડીઓ પણ ઠીક થઈ જાય છે, સાથે-સાથે સ્કીનનો ગ્લો પણ વધે છે. આ સિવાય આંખની રોશની પણ વધે છે. સરસોના તેલનો જ્યોતિષશાસ્ત્રમાં સીધો સંબંધ શનિ સાથે ગણાય છે. સરસોનું તેલ શનિ દેવને અર્પણ પણ કરવામાં આવે છે. તેનાથી શનિ દોષ દૂર થાય છે.

આ રીતે લગાવો તેલ
આયુર્વેદ અનુસાર નાભિમાં તેલ રૂની પૂણીની મદદથી લગાવી શકાય છે અથવા તો નાભિમાં સીધાં જ થોડાં ટપકાં પાડી શકાય છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, જો રૂથી તેલ લગાવતા હોય તો, રૂ પર તેલનાં થોડાં ટપકાં જેટલું જ તેલ લેવું. ત્યારબાદ રૂને ઓછામાં ઓછું 15 મિનિટ સુધી નાભિ પર મૂકી દેવું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page