શું ઐશ્વર્યા રાયનું આ પરિણીત અને બે સંતાનોના બાપ એવા ગુજરાતી બિઝનેસમેન સાથે અફેર હતું?
મુંબઈઃ દુનિયાભરમાં કોરોનાના સંક્રમણના કારણે લોકોની હાલત ખરાબ છે. ભારતમાં પણ 17 મે સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય લોકોની સાથે-સાથે બોલિવૂડ સેલેબ્સ પણ ઘરમાં કેદ છે. આ દરમિયાન સેલેબ્સની કેટલીક જૂની વાતો આજકાલ બહુ વાયરલ થઈ રહી છે. આવા જ એક કિસ્સામાં ઐશ્વર્યા રાય બચ્ચન અને અનિલ અંબાણીનો કિસ્સો પણ વાયરલ બન્યો છે. વાત ત્યારની છે જ્યારે બી-ટાઉનમાં બંનેના અફેયરની વાતો ચર્ચાનો વિષય બની હતી. આ વિશે સાંભળતાં જ ઐશ્વર્યા રાય ગુસે થઈ ગઈ હતી.
વાત 2004ની છે, જ્યારે ઐશ્વર્યા રાયે ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘દેવદાસ’, ‘તાલ’, ‘મોહબ્બતે’ જેવી હિટ ફિલ્મો આપી હતી. બધા જ પ્રોડ્યૂસર-ડિરેક્ટર ઐશ્વર્યાને પોતાની ફિલ્મમાં કાસ્ટ કરવા ઇચ્છતા હતા. એ દરમિયાન ઐશ્વર્યા વિવિધ ચર્ચાઓમાં પણ બહુ રહેતી.
એ સમયે ઐશ્વર્યા રાય સલમાન ખાનને ડેટ કરતી હતી અને સલમાન સાથેના બ્રેક-અપ બાદ વિવેક ઓબેરોય સાથેના લિંક-અપના સમાચાર આવ્યા હતા.
એ સમયે એવી પણ વાતો વહેતી થઈ હતી કે, ઐશ્વર્યા રાય રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને ચોરી છૂપે ડેટ કરી રહી છે અને લગ્ન કરવાની છે. આ વાત ઐશ્વર્યાના કાન સુધી પહોંચતાં જ તે ગુસ્સે થઈ ગઈ હતી અને તેણે નક્કી કરી દીધું કે, તે આવી વાહિયાત અફવાહોને આગળ વધવા નહીં દે.
આમ તો ઐશ્વર્યા તેની પર્સનલ લાઇફ વિશે વાત નથી કરતી, પરંતુ આ રિપોટ્સથી ઐશ્વર્યા બહુ ગુસ્સે થઈ ગઈ હતી. આ અંગે મૌન તોડી ઐશ્વર્યાએ કહ્યું હતું, “મને જ્યારે આ અંગે ખબર પડી ત્યારે મારી પ્રતિક્રિયા મિક્સ હતી. હું પર્સનલી તેમને બહુ ઓછી મળી છું. છેલ્લે અમે પ્રોડ્યૂસર ભરત શાહની બર્થડે પાર્ટીમાં મળ્યાં હતાં અને હું ટીના (અનિલ અંબાણીનાં પત્ની) સાથે બેઠી હતી.”
વધુમાં ઐશ્વર્યાએ કહ્યું હતું, “એ જાણીને તો મને વધારે આશ્ચર્ય થયું હતું કે, મારા અને તેમની વચ્ચે કરોડો રૂપિયા બાબતે વિવાદ થયો. શું આ બધું મારા માટે કહેવાઇ રહ્યું છે? જ્યારે, હું તો મારા કામ અને નવા પડકારોમાં વ્યસ્ત છું.”
ઐશ્વર્યાએ કહ્યું હતું, “લોકો ઈચ્છે છે કે, તેમનાં આ બધાં અનુમાનો પર હું જવાબ આપું. પરંતુ હું આમ નહીં કરું. લગ્ન? અત્યારે હું મારા જીવનને જીવી રહી છું. મારા નસીબમાં જે હશે તે સમય આવ્યે તેની મેળે જ તમારી સામે આવી જશે. તેણે વિવેક ઓબેરોય સાથેના બ્રેકઅપ અંગે વાત કરવા પણ ના પાડી દીધી હતી.”
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2007 માં ઐશ્વર્યા બચ્ચન પરિવારની વહુ બની. તેણે એપ્રિલ 2007 માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા. લગ્નના ચાર મહિના પહેલાં બંનેની સગાઇ થઈ હતી. વર્ષ 2011 માં ઐશ્વર્યાએ દીકરી આરાધ્યાને જન્મ આપ્યો હતો.