Only Gujarat

FEATURED Religion

તમે વારંવાર બીમાર પડો છો? આ ગ્રહો હોઈ શકે છે જવાબદાર, જાણો કયા ગ્રહથી કઈ બીમારી થાય

અમદાવાદઃ જ્યોતિષ અનુસાર કોઈ પણ વ્યક્તિના જીવનમાં શુભ તથા અશુભ ઘટનાનો સીધો સંબંધ 9 ગ્રહ સાથે જોડાયેલો છે. કુંડળીમાં જ્યારે કોઈ ગ્રહ શુભ ફળ આપે ત્યારે તે જાતકને તમામ કામમાં સફળતા આપે છે. જો કુંડળીમા ગ્રહ અશુભ હોય તો જાતકને કામમાં અનેક રીતે અડચણો આવે છે. અશુભ ગ્રહના પ્રભાવથી વ્યક્તિ વારંવાર બીમારીનો ભોગ બને છે. તો આજે આપણે જાણીશું કે કયો ગ્રહ અશુભ થતા તમને કઈ બીમારી થઈ શકે છે.

સૂર્યઃ કુંડળીમાં સૂર્ય અશુભ થાય તો જાતકને આંખ તથા માથા સંબંધિત બીમારીઓ થાય છે.

 

ચંદ્રઃ ચંદ્રમા અશુભ હોય તો વ્યક્તિને કફ તથા પેટ સંબંધિત બીમારી થાય છે.

મંગળઃ મંગળનો પ્રભાવ લાલ રંગ પર સૌથી વધારે થાય છે. આથી જ કુંડળીમાં મંગળ અશુભ થવા પર વ્યક્તિને લોહી સંબંધિત બીમારી વધુ થાય છે.

બુધઃ જો તમારી કુંડળીમાં બધુ ગ્રહ અશુભ હોય તો તમને દાંત તથા નસો સાથે જોડાયેલા બીમારી થવાની શક્યતા વધી જાય છે.


ગુરુઃ
ગુરુની અશુભતા વ્યક્તિને શ્વાસ સાથે જોડાયે બીમારી થાય છે.

 

શુક્રઃ આમ તો શુક્ર ગ્રહ સંપન્નતા તથા વૈભવનો કારક ગ્રહ છે. જોકે, આ અશુભ થાય તો વ્યક્તિ એક સાથે અનેક બીમારીઓનો ભોગ બને છે.

શનિઃ જે જાતકોની કુંડળીમાં શનિ ગ્રહ અશુભ હોય તો તેમને પેટની બીમારીઓ થાય છે.

રાહુઃ કુંડળીમાં રાહુ અશુભ હોય તો વારંવાર તાવ આવે છે.

કેતુઃ કુંડળીમાં જો કેતુ ગ્રહ ઠીક ના હોય તો વ્યક્તિને હાડકા સંબંધિત બીમારીઓ થાય છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page