અમદાવાદઃ શનિ દર અઢી વર્ષ બાદ એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે. ધીમી ચાલથી જાતકને શનિના શુભ-અશુભ અસર લાંબા સમય સુધી રહે છે. જે જાતકની રાશિમાં શનિની ઢૈય્યા તથા મહાદશા ચાલતી હોય તેમને અનેક પ્રકારની મુશ્કેલીઓ રહે છે. 24 જાન્યુઆરીએ શનિ 30 વર્ષે મકર રાશિમાં આવે છે. કુંભ રાશિ પર શનિની સાડાસાતી શરૂ થશે. મકર પર બીજા તબક્કાની સાડાસાતી તથા ધન પર ત્રીજા તબક્કાની સાડાસાતી શરૂ થશે. વૃષભ તથા કન્યા રાશિ પર શનિની ઢૈય્યા પૂરી થશે. તુલા રાશિમાં શનિની ઢૈય્યા શરૂ થશે. શનિના અશુભ પ્રભાવને ઓછો કરવા માટે કેટલાંક ઉપાયો કરવા જોઈએ.
પ્રથમ ઉપાયઃ જો તમારા પર શનિની ઢૈય્યા કે સાડા સાતી ચાલતી હોય તો ખિજડાના ઝાડના મૂળને કાળા કપડામાં પરોવીને શનિવારની સાંજે જમણા હાથમાં બાંધીને ॐ प्रां प्रीं प्रौं स: शनिश्चराय नम: મંત્રની ત્રણવાર માળા કરવી.
બીજો ઉપાયઃ શિવ સહસ્ત્રનામ અથવા શિવ પંચાક્ષરી મંત્રોનો પાઠ કરવાથી શનિનો પ્રકોપ ઓછો થાય છે અને તમામ અડચણો દૂર થાય છે. આ ઉપાયથી શનિ દ્વારા મળતા નકારાત્મક પરિણામો સમાપ્ત થાય છે.
ત્રીજો ઉપાયઃ કુંડળીમાં શનિના દોષો દૂર કરવા માટે રોજ સુંદરકાંડનું પઠન કરો અને હનુમાનજીના મંદિરમાં જઈને પોતાની ક્ષમતા અનુસાર ગળ્યો પ્રસા ચઢાવો.
ચોથો ઉપાયઃ શનિદેવના પ્રકોપને શાંત કરવા માટે सूर्य पुत्रो दीर्घ देहो विशालाक्ष: शिव प्रिय:। मंदाचाराह प्रसन्नात्मा पीड़ां दहतु में शनि:।। આ મંત્ર બોલવો.
પાંચમો ઉપાયોઃ ખિજડાનું ઝાડ ઘરમાં ઉગાડો અને રોજ તેની પૂજા કરો. આનાથી માત્ર વાસ્તુદોષ દૂર નહીં થાય પરંતુ શનિદેવની કૃપા પણ રહેશે.
છઠ્ઠો ઉપાયઃ શનિવારના દિવસે પીપળાને જળ અર્પણ કરો અને તેલનો દિવો કરો.
સાતમો ઉપાયઃ શનિવારના દિવસે શનિદેવને વાદળી રંગના શંખપુષ્પીના ફૂલ ચઢાવો અને કાલા રંગની વાટ તથા તલના તેલથી દિવો પ્રગટાવો. આ સાથે જ શનિવારના દિવસે મહારાજ દશરથે લખેલા શનિ સ્ત્રોત વાંચો.