Only Gujarat

FEATURED Religion

13 ફેબ્રુઆરીએ સૂર્યનો કુંભમાં પ્રવેશે, આ ચાર રાશિઓના જાતકોના જીવનમાં વધી શકે છે મુશ્કેલી

અમદાવાદઃ 13 ફેબ્રુઆરીના રોજ સૂર્ય ગ્રહ પોતાના શત્રુ ગ્રહ શનિની રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. સૂર્યનું આ ગોચરચાર રાશિઓ પર નકારાત્મક અસર કરશે. આજે આપણે આ ચાર રાશિઓને શું તકલીફ પડશે, તે અંગે વાત કરીશું.

કુંભઃ આત્મવિશ્વાસ વધશે પરંતુ સાથે અહમની ભાવના પણ વધતી જશે. દાંપત્ય જીવનમાં આ ગોચરની અસર નકારાત્મક રીતે પડી શકે છે. કારણ કે ક્રોધની અધિકતા સંબંધોમાં અંતર વધી શકે છે. આથી તમારે ધ્યાન રાખવું જરૂરી છે.

વૃશ્ચિકઃ તમારા પરિવારમાં વિશેષ તણાવનો સામનો કરવો પડશે. તમારી અંદર અહમની ભાવના જાગી શકે છે કે તમે જ પરિવારમાં સર્વશ્રેષ્ઠ છો અને આથી જ તમે તમારી જાતને શ્રેષ્ઠ સાબિત કરવા તમે વાતો બઢાઈ-ચઢાઈને કરશો, જેને કારણે પરિવારનું વાતાવરણ ખરાબ થઈ શકે છે.

મકરઃ તબિયતનું ખાસ ધ્યાન રાખો. અચાનક ધન પ્રાપ્તિથી મન આનદિત રહેશે અને તમને સારું પરિણામ મળશે. કેટલાક જાતકોને સાસરિયા તરફથી સારા સમાચાર મળશે અને કોઈ પ્રકારની આર્થિક મદદ મળશે, જે તમારા માટે ફાયદાકારક બનશે.

મીનઃ ખર્ચ વધી શક છે. આ ભાવથી વિદેશનો સંબંધ પણ છે. આ સમય દરમિયાન વિદેશ યાત્રા સફળ રહેશે પરંતુ જેમણે પહેલેથી પ્રયાસ કર્યા હશે, તેમને જ લાભ મળશે. વિરોધીઓ પ્રત્યે સાવધાન રહેવું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page