Only Gujarat

Bollywood

સુશાંત સિંહ રાજપુતના મોત બાદ આ અભિનેત્રીએ કર્યો ખુલાસો

મુંબઈઃ બોલિવૂડમાં ઘણાં વર્ષોથી નેપોટિઝ્મનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. ઘણીવાર આ મુદ્દે ચર્ચા થઈ છે અને તે સમયે જતાં શાંત થઈ જાય છે પણ, સુશાંત સિંહ રાજપુતના નિધન પછી એકવાર ફરી નેપોટિઝ્મ અંગે ભારે ચર્ચા શરૂ થઈ છે. કેટલાક મોટા કલાકારોની સાથે લોકો આ મુદ્દે પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ દરમિયાન ભોજપુરી એક્ટ્રસ અક્ષરા સિંહે પણ અનેક સવાલ ઊભા કર્યા છે.

અક્ષરા સિંહે એક વીડિયો શેર કરી કહ્યું કે, ‘સ્ટાર કિડ્સને ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે સરળતાથી તક મળે છે. જે કલાકાર બનવા માગે છે, તે ખૂબ જ પ્રતિભાશાળી છે, આવી દરેક લોકોને તક મળવી જોઈએ. સ્ટાર કિડ્સને સંઘર્ષમાંથી પસાર થવું જોઈએ. તેમણે પણ ઓડિશન આપવા જોઈએ.’

અક્ષરા સિંહે એક વીડિયો શેર કરી કહ્યું કે, ‘સ્ટાર કિડ્સને ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે સરળતાથી તક મળે છે. જે કલાકાર બનવા માગે છે, તે ખૂબ જ પ્રતિભાશાળી છે, આવી દરેક લોકોને તક મળવી જોઈએ. સ્ટાર કિડ્સને સંઘર્ષમાંથી પસાર થવું જોઈએ. તેમણે પણ ઓડિશન આપવા જોઈએ.’

અક્ષરાએ વધુમાં કહ્યું કે, ‘મારી સામે એવી સ્થિતિ ઊભી કરી કે, હું સ્યૂસાઈડ કરવાની હતી. તે સમયે મારો કોઈએ સાથ આપ્યો નહોતો. હું ખૂબ જ મુશ્કેલીમાંથી પસાર થઈ હતી. જ્યારે તમે જીવતા હોવ ત્યારે તમારી પાસે કોઈ આવતા નથી પણ મર્યા પછી લોકો મીણબત્તી લઇને નીકળી પડે છે. હું આજે પણ લડી રહી છું’

અક્ષરા સિંહે સુશાંત સિંહના ઘરે પહોંચી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે જ સુશાંતના પિતા કે.કે. સિંહે મુલાકાત કરી હતી. આ દરમિયાન અક્ષરાએ ભાવુક થઈ કહ્યું હતું કે, ‘એક ખૂબ જ સારો વ્યક્તિ જતો રહ્યો છે. સુશાંતના નિધનથી દરેક સ્ટારને દુખ છે.’

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page