મુંબઈઃ 90ના દાયકાની ‘મહાભારત’ હાલમાં ટીવી પર ફરી પ્રસારિત કરવામાં આવી રહી છે, જેમાં અલગ-અલગ કિરદાર નિભાવતા કલાકારોની ચર્ચા પણ ખૂબ જ થઈ રહી છે. તેમાંથી જ એક જાણીતું પાત્ર શ્રીકૃષ્ણની માતા દેવકીનું. આ ભૂમિકા અભિનેતા શીલા શર્માએ નિભાવી હતી, જે રિયલ લાઈફમાં મિથુન ચક્રવર્તીના વેવાણ છે.
ઘણા ઓછો લોકો જાણે છે કે શીલા શર્માની દીકરી મદાલસાના લગ્ન મિથુન ચક્રવર્તીના દીકાર મહાઅક્ષય (મિમોહ) ચક્રવર્તી સાથે થયા છે. બંનેના લગ્ન જુલાઈ, 2018માં થયા હતા.
દીકરી મદાલસાના લગ્ન પર માતા શીલા શર્માએ કહ્યું હતું કે, ‘મારી ખુશીનું ઠેકાણું નથી, હું ખૂબ જ ખુશ છું.’ શીલાએ કહ્યુx હતું કે, મિથુનનો પરિવાર સંસ્કારી છે અને અમારા મનમાં દીકરીના લગ્નને લઈને કોઈ શંકા નથી.
ઉલ્લેખનીય છે કે મિમોહ પર એક ભોજપુરી અભિનેત્રીએ રેપ અને જબરદસ્તી અબોર્શનનો આરોપ લગાવ્યો હતો. આ આરોપોમાં લગ્નના નિર્ણય વચ્ચે મદાલસાની માતા શીલાએ કહ્યું હતું કે, મિથુન અને તેમનો આખો પરિવાર ખૂબ જ અનુશાસનપ્રિય છે. આરોપ લગાવનારા લોકો પાસે કોઈ પુરાવા નથી અને અમે આ લગ્ન કરાવીને કોઈ કાયદો નથી તોડ્યો.
મદાલસા પણ પોતાની માતાની જેમ અભિનેત્રી છે. મદાલસાએ 2009માં તેલુગુ ફિલ્મ ‘ફિટિંગ’થી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું. એ સિવાય તેણે કન્નડ ફિલ્મ ‘શૌર્ય’માં પણ કામ કર્યું છે. મદાલસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાના બોલ્ડ ફોટોસ શેર કરતી રહે છે.
થયું એવું કે, ‘મહાભારત’ના કાસ્ટિંગ ડાયરેક્ટર ગુફી પેન્ટલે શીલા શર્માને એક શોમાં એક્ટિંગ કરતા જોયા હતા અને તે બાદ તેઓ ‘મહાભારત’માં દેવકીની ભૂમિકાની ઑફર લઈને તેમની પાસે પહોંચી ગયા હતા.
શીલા શર્માએ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના કરિયરની શરૂઆત 1982માં આવેલી ફિલ્મ ‘સૂન સજના’થી થઈ હતી. જે બાદ તેમણે ‘નદિયા કે પાર’, ‘અબોધ’, ‘સદા સુહાગન’, ‘નૌકર બીવી કા’, ‘દરાર’, ‘ઘાતક’, ‘યસ બૉસ’ અને ‘મન’ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું.
ટીવીની વાત કરીએ તો શીલા શર્માએ ‘મહાભારત’ સિવાય, ‘ઝી હૉરર શો’, ‘મધુબાલા’, ‘માતા કી ચૌકી’, ‘સીઆઈડી’, ‘દિલ્લી વાલી ઠાકુર ગર્લ્સ’ અને ‘સંજીવની’ જેવી સીરિયલ્સમાં કામ કર્યું છે.