હરિયાણાના હિસાર જિલ્લામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં-350 વર્ષ જુની પરંપરાને છોડીને મૃતદેહને દફનાવવાને બદલે અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત એ છેકે, પરિવારના સભ્યોનું કહેવું છે કે ઓરંગઝેબને કારણે તેના વડીલોએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો.
વાસ્તવમાં, આ મામલો હરિયાણાના હિસાર જિલ્લાના બિઠમડા ગામનો છે, અહીં મૃતદેહને દફનાવવાની-350-વર્ષ જૂની પરંપરાને છોડીને એક વૃદ્ધ મહિલા ફૂલી દેવીના મૃત્યુ પછી હિંદુ રીત-રિવાજ મુજબ શબને સળગાવવામાં આવ્યુ છે. આ પહેલાં અહીંયા ત્રીસ પરિવારો મૃત્યુ બાદ મૃતદેહને દફનાવતા હતા. આની સાથે જ હવે તેઓ ફરીથી હિન્દુ ધર્મમાં પરિવર્તિત થયા છે.
વૃદ્ધ મહિલાના અંતિમ સંસ્કાર સમયે ગામના તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકો કહે છે કે અંતિમ સંસ્કાર હિન્દુ રિવાજોથી કરવામાં આવ્યા છે. લોકોએ કહ્યું કે તેઓ તેને કોઈપણ દબાણ વગર અને પોતાની ઇચ્છાથી અપનાવી રહ્યા છે. વૃદ્ધ મહિલાના સંબંધીઓ સત્બીર અને મંજીતે જણાવ્યું હતું કે, અગાઉ મૃતદેહોને દફનાવવામાં આવતા હતા અને આ કામ લગભગ 350 વર્ષથી કરવામાં આવી રહ્યું છે.
આ લોકોનું કહેવું છે કે ઓરંગઝેબના સમયથી, તેમના વડીલોએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો.પરંતુ હવે અમે કોઈ દબાણ વિના ઘરે પાછા ફર્યા છીએ. હવે તેઓએ દફન કરવાની પરંપરા પણ બદલી છે.
આ બધા જ લોકો ડૂમ જાતિ સાથે સંબંધ રાખે છે. અંતિમ સંસ્કારના સમયે ગામમાં આ બધા જ પરિવારો ઉપસ્થિત હતા. કૂલ મળીને 30 પરિવારોએ હિંદુ ધર્મ અપનાવ્યો છે.