જશપુરઃ માતાએ ભગવાન દ્વારા બનાવવામાં આવેલ સૌથી શ્રેષ્ઠ ભેટ છે. એટલે જ તો કહેવાય છે કે, ભગવાનને જોયા ના હોય તો માતાનાં દર્શન કરી લો. માતાની મમતાનો આવો જ અદભુત નજારો જોવા મળ્યો હતો છત્તીસગઢના જશપુરમાં, અહીં એક માતાએ તેના શાહીદ દીકરાનું સ્મારક બનાવડાવ્યું હતું.
રોજ સવાર-સાંજ લડાવે છે લાડઃ એટલું જ નહીં આ મા, રોજ સવાર-સાંજ જીવતા દીકરાની જેમ જ પ્રતિમાને લાડ લડાવે છે. તે એ ચબૂતરાને વાળે છે, જ્યાં તેના દીકરાનું સ્મારક છે. તેને જોઇને એમ જ લાગે કે જાણે તે તેના દીકરા સાથે વાત કરી રહી હોય. જે તેને જુએ, તેની આંખમાં આંસુ આવી જાય. માતાને ખબર છે કે, તેનો દીકરો હવે ક્યારેય પાછો નહીં આવે, માની મમતા જ એવી હોય છે કે, દીકરો દૂર હોવા છતાં પોતાની નજીક જ હોય એમ અનુભવે છે.
નક્સલી હુમલામાં શહીદ થયો હતો દીકરોઃ ઉલ્લેખનીય છે કે, મમતાનો આ દાખલો જશપુર જિલ્લાના પેરવારા ગામના શહીદ બસીલ ટોપ્પોના ઘરનો છે. શહીદ બસીલ વસ્તનના જિલ્લામાં પોલીસ તરીકે સેવા આપી રહ્યો હતો. તેમનું પોસ્ટિંગ ભદ્રકાલી પોલીસ સ્ટેશનમાં હતી. પરંતુ વર્ષ 2011 માં થયેલ નક્લસવાદી હુમલામાં તે શહીદ થઈ ગયો.
માની આવી મમતા નહીં જોઇ હોય ક્યાંયઃ દીકરો શહીદ થયો એ સમાચાર જ્યારે માતાને મળ્યાં ત્યારે તેમની હાલત રડી-રડીને ઘણી જ ખરાબ થઈ હતી. તેમના લાડકવાયાને ઈચ્છવા છતાં ભૂલી નથી શકતાં. છૂપાઇ-છૂપાઇને રડતાં જોવા મળે છે. દીકરાના અંતિમ સંસ્કાર બાદ તેમણે તેમના પતિને દીકરાની પ્રતિમા બનાવવાનું કહ્યું. પત્નીના આંસુઓને જોતાં પતિએ ઓરિસ્સાના કલાકારો પાસે દીકરાની પ્રતિમા બનાવીને ગામમાં મૂકાવી. છેલ્લાં 9 વર્ષથી માતા તેમના દીકરાને એ જ રીતે પ્રેમ કરે છે, જાણે તે જીવતો જ હોય.