એક તરફ જ્યાં લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ રહ્યા છે. તો બીજી તરફ લૉકડાઉનમાં ફસાયેલા લોકો ઘર જતા સમયે અકસ્માતનો શિકાર થઈને પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એક દર્દનાક ઘટના મધ્યપ્રદેશના સાગરમાં સામે આવી. જ્યાં 3 યુવકોનું ઘરે પહોંચતા પહેલા જ મોત થઈ ગયું.
આ ભીષણ અકસ્માત સાગર-દમોહ માર્ગ પર રવિવારે ગઢાકોટામાં થયો. જ્યાં તેજ રફ્તારથી આવી રહેલા એક ડીઝલ ટેન્કરે પાછળથી ઈનોવા કારમાં ટક્કર મારી દીધી. ટક્કર એટલી ભયાનક હતી કે ગાડીના ફુરચા ઉડી ગયા અને કાર સવાર ત્રણેય ભાઈઓનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. જણાવવામાં આવી રહ્યું છે કે ત્રણેય મિત્રો હતો, જેમાંથી બે તો પિતરાઈ ભાઈ હતા.
જણાવી દઈએ કે, અકસ્માતમાં માર્યા જનારા યુવકોની ઓળખ જિતેન્દ્ર શુક્લા(40), પ્રમોદ શુક્લા અને સુનિલ તિવારી (36)ના રૂપમાં કરવામાં આવી છે. આ તમામ યૂપીના પ્રયાગરાજ જિલ્લાના રહેવાસી હતા.
જણાવી દઈએ કે ત્રણેયને લૉકડાઉનમાં ઢીલ મળ્યા બાદ મુંબઈથી પોતાના ઘરે પાછા આવી રહ્યા હતા, ઘરના લોકો તેના આવવાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે તેમના દીકરાઓનું અકસ્માતમાં મોત થઈ ગયું તો આખા ગામમાં માતમ છવાઈ ગયો. પરિજનો વિલાપ કરવા લાગ્યા.
પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતકોને બહાર કાઢવા માટે ખૂબ જ મહેનત કરવી પડી. ત્યાં જ ટેન્કર અને કારને હટાવવા માટે ક્રેનની મદદ લેવી પડી.
હાલ પોલીસ ટેન્કરની સામે મામલો દાખલ કરી તેની શોધખોળ કરવામાં લાગી ગઈ છે. આરોપી ટક્કર માર્યા બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.