Only Gujarat

National TOP STORIES

કોરોના અંગે ભારતમાં થયું એક નવું જ સંશોધન, આ લોકોમાં જોવા મળ્યા વધુ એન્ટિબોડીઝ

કોરોનાનો કહેર યથાવત છે. દુનિયાભરનાં દેશો આ અંગે સંશોધન કરી રહ્યા છે અને ઘણા દેશો રસી પર કામ કરી રહ્યા છે. ભારતમાં પણ આને લગતા ઘણા સંશોધન ચાલી રહ્યા છે. વારાણસીના BHUના સંશોધનથી જાણવા મળ્યું છે કે, કેવાં લોકોમાં વધુ એન્ટિબોડીઝ જોવા મળે છે.

વાસ્તવમાં, કોરોના સામે લડવા માટે રસ્તાનાં કારીગરો અને મજુરોના શરીરમાં એન્ટીબૉડી અન્ય લોકોની તુલનામાં વધારે જોવા મળી છે. એવી વાત બીએચયુના જંતુ વિજ્ઞાન વિભાગમાં કરવામાં આવેલા સંશોધનમાંથી વાત સામે આવી છે. પ્રો. જ્ઞાનેશ્વર ચૌબે અને તેમની ટીમે હર્ડ ઈમ્યુનિટી પર કરેલાં સંશોધનનાં આંચકાજનક પરિણામો આપ્યાં છે.

આ સંશોધન મુજબ, શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા બંધ રૂમમાં કામ કરતા 6-8 ટકા લોકોમાં કોરોનાની એન્ટિબોડીઝ મળી આવી હતી, જ્યારે રસ્તા પર સખત મહેનત કરતા 24 ટકા લોકોમાં એન્ટિબોડીઝ મળી હતી.

પ્રો.ચૌબેએ જણાવ્યું હતું કે વારાણસીમાં જ બે વિભાગની પસંદગી કરવામાં આવી હતી અને એન્ટિબોડી ટેસ્ટ કરાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે આની પાછળનું કારણ તે હોઈ શકે છે કે આ લોકો બીજા ઘણા લોકો સાથે સંપર્કમાં આવતા નથી.

જેના કારણે તેમને કોરોના થતો નથી અને ન તો એન્ટિબોડીઝ બને છે. જ્યારે બીજો વિભાગ મજૂર વર્ગનો હતો, જે રસ્તાઓમાં વધુ સમય વિતાવે છે. આવા 24 ટકા લોકોમાં એન્ટિબોડીઝ મળી આવી હતી.

પ્રો.ચૌબેએ વધુમાં જણાવ્યું કે, એંટીબોડી કીટ બનાવતી એક કંપની સાથે કોલેબોરેટ કરવામાં આવ્યું હતું. આ અધ્યયન દ્વારા, તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે જુદા જુદા જિલ્લાઓમાં હર્ડ ઈમ્યુનિટીનું સ્તર કેવું છે. આગળ પણ ઘણા જિલ્લાઓમાં તેને ચાલુ રાખવામાં આવશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page