ભારતમાં જૂન-જુલાઈ મહિનામાં કોરોનાના કેસોમાં વધારો થશે? જાણો આ અંગે મોદી સરકારે શું કહ્યું?
ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, પરંતુ આરોગ્યમંત્રી હર્ષ વર્ધને કહ્યું કે ગભરાવાની જરૂર નથી. તેમણે એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે થોડા અઠવાડિયામાં જ કોરોના ગ્રાફ ફલેટ જ નહીં થાય, પરંતુ રિવર્સ પણ થશે. તેમણે કહ્યું હતું કે, પરીક્ષણના અવકાશમાં વધારો અને કોન્ટ્રેક્ટ ટ્રેસિંગમાં તેજીને કારણે વધુ કેસો આવી રહ્યા છે.
બીજા દેશો કરતાં ભારત સારું કરી રહ્યો છે
આરોગ્ય પ્રધાને કહ્યું કે ભારત વિશ્વના બાકી દેશો કરતા સારુ કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં લગભગ 56 હજાર લોકોને ચેપ લાગ્યો છે. 1800 લોકોનાં મોત નીપજ્યાં છે. 17 હજાર લોકો સ્વસ્થ થઈ ઘરે પાછા ફર્યા છે. અમારો રિકવરી રેટ 30% છે. દેશની વસ્તી 135 કરોડ એટલે કે વિશ્વના 20 દેશોની સમકક્ષ છે. નાના દેશોમાં પણ આપણા કરતાં ઘણા વધારે કેસો અને મૃત્યુ થયા છે.
શું જૂન-જુલાઈમાં પીક પર રહેશે કોરોના?
આરોગ્યમંત્રીએ એમ્સના ડાયરેક્ટરના નિવેદન પર કહ્યું કે, શું વિચારીને તેમણે આ નિવેદન આપ્યુ છે. પરંતુ વ્યક્તિગત રીતે હું કહી શકું છું કે હું આશાવાદી છું. આગામી દિવસોમાં, કોરોનાનો ગ્રાફ સંપૂર્ણ ફ્લેટ થઈ જશે. જણાવી દઈએકે એઇમ્સના ડાયરેક્ટરે કહ્યું હતું કે જૂન-જુલાઈમાં કોરોના પીક પર હશે.
દિલ્હી- મુંબઈમાં વધુ કેસ કેમ?
આરોગ્ય પ્રધાને પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, આ શહેરોમાં વસ્તી ઘણી વધારે છે. એક-એક ઘરમાં 15-15 લોકો રહે છે. આ ક્લસ્ટરોમાં લાખો લોકો રહે છે. લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવું ત્યાં મુશ્કેલ છે. અહીં 100% સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવી શકાય નહીં. પરંતુ અમને વિશ્વાસ છે કે અહીં પણ અમે પરિસ્થિતિને સુધારીશું.
સોશિયલ રસી જ કારગર
તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી રસી ન મળે ત્યાં સુધી સામાજિક રસી અસરકારક રહેશે. આપણે ધીમે ધીમે લોકડાઉન ખોલવું પડશે. આ સ્થિતિમાં પણ, આ સામાજિક રસીનો ઉપયોગ આપણા આરોગ્ય અને દેશ માટે મહત્વપૂર્ણ છે.