મુંબઇઃ 90ના દાયકાની વાત કરીએ તો અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની જોડી સુપરહિટ જોડીઓમાંની એક માનવામાં આવતી હતી. બંન્નેએ અનેક બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે. ઓનસ્ક્રીન સાથે બંન્નેની જોડીને ઓફસ્ક્રીન પણ પસંદ કરવામાં આવી રહી છે. પરંતુ આ દરમિયાન માધુરી દીક્ષિતે એવું તે શું જોઇ લીધું કે તેણે અનિલ કપૂર સાથે ફિલ્મોમાં કામ ન કરવાનો નિર્ણય લીધો હતો. નોંધનીય છે કે લોકડાઉનના કારણે બોલિવૂડ સેલેબ્સ પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. એવામાં તેમના કેટલાક જૂના કિસ્સાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
અનિલ અને માધુરી બંન્ને 2000માં આવેલી ફિલ્મ પુકારમાં છેલ્લે એક સાથે જોવા મળ્યા હતા. જેના 17 વર્ષ બાદ ફિલ્મ ટોટલ ધમાલમાં સાથે જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર બંન્નેનો એક જૂનો કિસ્સો વાયરલ થઇ રહ્યો છે.
ફિલ્મોમાં સાથે કામ કરતા કરતા અનિલ કપૂર અને માધુરી દીક્ષિત વચ્ચે અફેરની ખબરો બી-ટાઉનમાં ચર્ચાનો વિષય રહેતી હતી. બંન્ને શૂટિંગના સેટ પર ખૂબ વાતો કરતા હતા. સેટ પર બંન્ને સમય પસાર કરતા રહેતા હતા.
અનિલ પરણિત હતો એટલા માટે માધુરી સાથે અફેરની ખબરો તેની પત્ની સુનીતા કપૂર સુધી પહોંચતી હતી. એક દિવસે અનિલની પત્ની સુનીતા બાળકો સાથે શૂટિંગના સેટ પર પહોંચી હતી.
અનિલ સેટ પર પત્ની અને બાળકો સાથે વાત કરવા લાગ્યા. ત્યારથી માધુરી જતી રહી માધુરીએ જોયું કે અનિલ પોતાના પરિવારની ખૂબ નજીક છે અને તેનો પરિવાર હેપ્પી પરિવાર છે.
માધુરીએ આ જોઇને નિર્ણય લીધો કે તે અનિલથી અંતર બનાવીને રાખશે અને આગળ તેની સાથે કોઇ ફિલ્મમાં કામ નહી કરે. માધુરીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે એવું કાંઇ નહી કરે જેથી અનિલના પરિવારને નુકસાન પહોંચે.
બાદમાં માધુરીએ અનિલ સાથે ફિલ્મોમાં કામ કરવાનું લગભગ બંધ કરી દીધું. બંન્નેએ છેલ્લે ડિરેક્ટર રાજકુમાર સંતોષીની ફિલ્મ પુકારમાં સાથે કામ કર્યું હતું જે 2000માં આવી હતી.
બાદમાં 2019માં આવેલી ઇન્દર કુમારની મલ્ટીસ્ટારર ફિલ્મ ટોટલ ધમાલમાં જોવા મળ્યા હતા. માધુરીએ યુએસ બેઝ્ડ સર્જન ડોક્ટર શ્રીરામ નેને સાથે 1999માં લગ્ન કર્યા. અનિલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે પોતાની મિત્ર માધુરીની સાથે હંમેશા રહે છે. જ્યારે પણ સેટ પર મોડી આવતી હતી તો તેનો બચાવ પણ કરતો હતો. નોંધનીય છે કે અનિલ જલદી કરણ જોહરની ફિલ્મ તખ્તમાં જોવા મળશે.