Only Gujarat

Bollywood FEATURED

રિશી કપૂરના તેરમાની વિધિ કરાઈ, રણબીર-રિદ્ધિમાએ પિતાને કર્યાં યાદ

મુંબઈઃ લાંબા સમયથી કેન્સર સામે લડ્યાં પછી 30 એપ્રિલ 2020એ બોલિવૂડ એક્ટર રિશી કપૂરે દુનિયાને અલવિદા કહ્યું હતું. આ સમાચારથી બોલિવૂડ જગત સ્તબ્ધ છે. જાણે રિશી કપૂરની સાથે હિન્દી સિનેમાનો એક યુગે બોલિવૂડને અલવિદા કહ્યું. રિશી કપૂરના તેરમાના દિવસે તેમના પરિવારે ઘરે પૂજાનું આયોજન કર્યું હતું જેમાં રિશી કપૂરની પત્ની નીતૂ કપૂર, દીકરી રિદ્ધિમા, દીકરો રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાજર હતાં.

આ પ્રાર્થના સભામાં દિવંગત એક્ટર રિશી કપૂરે તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને તેમને યાદ કર્યાં. સોશિયલ મીડિયા પર રણબીર કપૂર અને તેમની બહેન રિદ્ધિમના કપૂર સાહનીનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

આ ફોટોમાં રણબીર અને રિદ્ધિમા હાથ જોડી પૂજામાં બેઠેલાં જોવાં મળે છે, જેમાં બંને ખૂબ જ ભાવુક જોવાં મળતાં હતાં. ઉલ્લેખનીય છે કે રિશી કપૂરના નિધન વખતે રિદ્ધિમા મુંબઈમાં નહોતી.

રિશી કપૂરના નિધનની જાણ થયાં પછી ખાસ પરમિશન લઈ રિદ્ધિમા દિલ્હીથી મુંબઈ આવવા રવાના થઈ હતી. છતાં પણ રિદ્ધિમા તેમના પિતાની અંતિમ યાત્રામાં સામેલ થઈ શકી નહોતી. રિશી કપૂર જેવાં દિગ્ગજ અભિનેતાના નિધનથી લોકો ભેગાં ના થાય તે માટે પ્રસાશને તેમનાં અંતિમ સંસ્કાર જલદી કરાવ્યા હતાં.

સોશિયલ ડિસ્ટેન્સિંગનું ધ્યાન રાખવામાં આવ્યું હતું
રિશી કપૂરના તેરમાએ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એક જ ગાડીમાં પહોંચ્યા હતાં. તેમને ચહેરા પર માસ્ત પહેર્યું હતું. કરિશ્મા કપૂર અને અન્ય તમામ દિગ્ગજ અભિનેતા પણ આ પ્રાર્થના કાર્યક્રમનો ભાગ બન્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમને ખૂબ જ સાધારણ રાખવામાં આવ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પૂરું ધ્યાન રાખવામાં આવ્યું હતું.

You cannot copy content of this page