અમદાવાદ: શિયાળામાં લોકો ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ લેતાં હોય છે. ત્યારે શિયાળામાં જામફળ ખાવું તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે શિયાળામાં જામફળ નથી ખાતાં તો ખાવાનું શરૂ કરી દેજો કારણ કે તેમાં વિટામિન્સ અને મિલરલ્સ ખૂબ છે. જામફળ ખાવાથી ઘણાં પ્રકારની બિમારીઓથી બચી શકો છો. ઘણી બિમારીઓમાં જામફળ ‘રામબાણ’ની જેમ કામ કરે છે.
જામફળમાં રહેલા વિટામીન અને ખનિજ શરીરને અનેક પ્રકારની બિમારીઓથી દૂર રાખે છે. જામફળ ખાવાથી વિટામિન બી9 મળે છે જે શરીરના ડીએનએ અને કોશિકાઓને સુધારવાનું કામ કરતું રહે છે. જામફળ એક એવું ફળ છે જે પેટની સાથે સાથે તમારા હાર્ટ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
જામફળનું ખાવાથી તમારા શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા બહુ જ વધે છે. જો કાયમી માટે શરદી અને ખાંસીની સમસ્યા છે તો જામફળનું સેવન કરવાથી તે બિમારી દૂર થઈ જાય છે. જામફળમાંથી વિટામીન એ અને ઈ મળે છે. જે તમારા સ્વાસ્થ્યની સાથે તમારી સ્કીન માટે ફાયદો કરે છે. જામફળ ખાવાથી તમારી આંખો, સ્કીન અને વાળને પોષણ મળે છે.
પેટની બિમારીઓ માટે જામફળ એક ‘રામબાણ’ માનવામાં આવે છે. જામફળ ખાવાથી કબજિયાતથી લઈને ગેસ સુધીની પેટની તમામ સમસ્યાઓ સંપૂર્ણ રીતે ખત્મ થઈ જાય છે. જો તમને પાચનની સમસ્યા રહે છે તો તમારે જામફળનું સેવન અવશ્ય કરવું જોઈએ. બાળકના પેટમાં કીડા પડી જાય છે તો એને જામફળનું સેવન કરવું જોઈએ. પેટની સાથે જામફળ દાંત અને હાડકાં માટે પણ ફાયદાકારક છે.
જામફળ કેન્સર અને ટ્યૂમરને જોખમને પણ ઓછું કરે છે. એમાં લાઈકોપીન ફાઈટો ન્યૂટ્રિએટ્સ હોય છે જે કેન્સર અને ટ્યૂમરના ખતરાને દૂર કરે છે. જામફળ તમારા શરીરના કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત રાખવાનું કામ કરે છે. એવામાં ઠંડીમાં જામફળનું સેવન જરૂરથી કરવું જોઈએ.