નવી દિલ્હીઃ હાલમાં જ સો.મીડિયામાં એક તસવીર વાઈરલ થઈ છે. આ તસવીરમાં વરરાજાએ લગ્ન બાદ તરત જ લગ્નમંડપમાં દુલ્હનના પગે લાગ્યો હતો. આ તસવીર જોઈને અનેકને આશ્ચર્ય થાય છે. જોકે, આ તસવીર વાઈરલ થવા પાછળ અનેક કારણ છે. ભારતીય પરંપરા પ્રમામે, લગ્ન બાદ દુલ્હન પતિને પગે લાગતી હોય છે. આ તસવીર જોયા બાદ અનેક લોકો સવાલ કરી રહ્યાં છે કે કેમ વરરાજા પગે લાગ્યો.
કોણે તસવીર શૅર કરી? ડૉ. અજીત વારવંડકરે પોતાના સો.મીડિયા અકાઉન્ટમાં એક તસવીર શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને તેમણે હૃદયસ્પર્શી કેપ્શન આપ્યું હતું. તેમણે કહ્યું હતું, ‘વરમાળાનો કાર્યક્રમ પૂરો થયો તો વરરાજાએ તરત જ દુલ્હનના પગને ચરણ સ્પર્શ કર્યા હતા. લગ્નમાં હાજર જાનૈયા સહિત તમામ મહેમાનો સ્તબ્ધ થઈ ગયા હતા.’
પોસ્ટ વાઈરલ થઈઃ તસવીર વાઈરલ થતાં જ વરરાજા તરફથી જવાબ પણ આવ્યો હતો. તેણે કહ્યું હતું, ‘મારા વંશને આ જ આગળ વધારશે. મારા ઘરની લક્ષ્મી કહેવાશે. મારા માતા-પિતાને માન આપશે અને તેની સેવા કરશે. મને પિતા જેવી ખુશી આપશે, ડિલિવરી દરમિયાન બાળક માટે મોતને સ્પર્શીને આવશે. આ મારા ઘરનો પાયો છે. તેના વ્યવહારથી જ સમાજમાં મારી ઓળખ બનશે. પોતાના માતા-પિતાને છોડીને મારી પાછળ આવશે. તેણે પોતાનાનો સાથ છોડીને મારી સાથે સંબંધ બાંધ્યો છે.’
છેલ્લે આ વાત કહીઃ અંતે ડૉ. અજીવ વારવંડકરે કહ્યું હતું, ‘જ્યારે તે આટલું બધુ કરી શકે છે તો શું આપણે થોડું સન્માન ના આપી શકીએ. જો મહિલાઓના પગે પડવાથી લોકો મારી મજાક ઉડાવે છે તો મને સમાજની પરવા નથી.’