પરિવારને લાગ્યું પુત્ર ફાંસો ખાઈને મરી ગયો પણ પછી જે થયું તે જાણીને તમને નહીં થાય વિશ્વાસ
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના હરદોઈમાં બઘોલી ખાતે ગોપાર ગામમાં એક યુવકે વ્યક્તિગત કારણોસર આત્મહત્યા કરવાના ઈરાદે પોતાને ફાસો લગાવ્યો. પરિવારજનોએ જોયું તો તેને ફટાફટ ઉતાર્યો પરંતુ મરી ગયો હોવાનું માની રડવા લાગ્યા હતા. આ સમયે અહીંથી પસાર થતા પોલીસકર્મીઓના કારણે યુવકનો જીવ બચ્યો હતો.
એક માહિતી અનુસાર, ગોપાર ગામના અતુલ કુમાર (ઉંમર 30) એ વ્યક્તિગત કારણોસર આત્મહત્યાના ઈરાદે ફાસો લગાવ્યો. ફાસી પર લટકતા અતુલ કુમારને પરિવારજનોએ તેને જોઈ લીધો, તેને ઉતારતા સમયે ઘણું મોડુ થયું. અતુલના શ્વાસ અટકી ગયા હતા. તેને મૃત માની પરિવારજનો હાઈવે નજીકના મકાન બહાર તેના શરીરને રાખી રડવા લાગ્યા હતા.
આ સમયે અહીંથી પસાર થઈ રહેલા કોન્સ્ટેબલ હરિશંકર શર્મા અને કપિલ યાદવે ભીડ જોઈ બાઈક અટકાવી હતી. ઘટના અંગે જાણી બંને પોલીસકર્મીએ યુવકની છાતીએ પમ્પીંગ કરવા લાગ્યા, ધીમે-ધીમે યુવકે શ્વાસ લેવાનું શરૂ કરતા પોલીસકર્મીઓને તેના બચવાની આશા જાગવા લાગી.
હળવા શ્વાસને કારણે તેઓ સતત પમ્પિંગ કરતા રહ્યાં. એમ્બયુલન્સ બોલાવી યુવકને કછૌના સીએચસી પહોંચાડવામાં આવ્યો. જ્યાં યુવકની સ્થિતિ સારી હોવાનું સામે આવ્યું. પોલીસકર્મીઓની એલર્ટનેસના કારણે જ આ યુવકનો જીવ બચ્યો. હાલ યુવકની સારવાર ચાલી રહી છે. બંને પોલીસકર્મીઓના કાર્યની પ્રશંસા કરતા એસપી જ્ઞાનંજય સિંહે તેમને પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી.