Only Gujarat

Bollywood

એક સમયે ટીવી પર ઝીલાતો પડ્યો બોલ, આજે ગ્લેમવર વર્લ્ડથી દૂર જીવી રહ્યાં છે તદ્દન સામાન્ય જીવન

મુંબઈઃ બોલીવુડ અને ટીવીની દુનિયા સૌ કોઈને લોભાવે છે. લોકો અહીં પોતાનું નસીબ અજમાવવા આવે છે અને અનેક વાર તે સફળ થાય છે, તો અનેક વાર ઈન્ડસ્ટ્રીની ચકાચૌંધ ભરેલી દુનિયા તેમને માફક નથી આવતી. ઈન્ડસ્ટ્રીના અનેક એવા કલાકારો છે જેઓ એક સફળ કરિયર હોવા છતા હવે ટીવીની દુનિયાને છોડી ચુક્યા છે. આજે અમે એવા જ કલાકારોની વાત કરશું જેણે ટીવી કરિયરને છોડી દીધું છે અથવા તો તેનાથી અંતર બનાવી લીધું છે.

‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ફેમ અભિનેત્રી મોહિના કુમારી સિંહે લગ્ન બાદ ટીવી ઈન્ડસ્ટ્રી છોડી દીધી. સીરિયલમાં તે કીર્તિ સિંઘાનિયાના રોલમાં હતી. મોહિનાએ ઉત્તરાખંડમાં કેબિનેટ મંત્રી સતપાલ મહારાજના દીકરા સુયશ રાવત સાથે લગ્ન કર્યા છે. લગ્ન પહેલા જ તેણે જાહેરાત કરી હતી કે તે હવે ઈન્ડસ્ટ્રીમાં કામ નહીં કરે.

દિશા વાકાણી ટીવીનો જાણીતો ચહેરો છે. સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તેણે દયાબેનની ભૂમિકા ભજવી હતી. બાળકના જન્મ વખતે દિશાએ સીરિયલમાંથી બ્રેક લીધો હતો. પરંતુ તે પછી તેઓ નાના પડદા પર પાછા ન આવ્યા.

સીરિયલ ‘દીયા ઔર બાતી હમ’માં અભિનેતા અનસ રાશિદે સૂરજ રાઠીની ભૂમિકા ભજવી હતી. અનસને લોકોએ ખૂબ જ પસંદ કર્યા પરંતુ તે જલ્દી જ ગ્લેમર ઈન્ડસ્ટ્રીથી કંટાળી ગયા. વર્ષ 2018માં તે પોતાના ગામ પાછા જતા રહ્યા અને ખેતી કરવા લાગ્યા.

અભિનેતા સિજેન ખાનને સીરિયલ ‘કસૌટી ઝિંદગી કી’ થી ખૂબ જ લોકપ્રિયતા મળી. સિજેને સીરિયલમાં અનુરાગ બાસુની મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ છેલ્લી વાર વર્ષ 2009માં આવેલા ટીવી શો ‘સીતા ઔર ગીતા’માં જોવા મળ્યા હતા.

અભિનેત્રી મિહિકા વર્માએ ‘યે હૈં મોહબ્બતેં’માં દિવ્યાંકા ત્રિપાઠીની ઑનસ્ક્રીન બહેનની ભૂમિકા ભજવી હતી. લગ્ન બાદ મિહિકાએ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું. તે પતિ આનંદ સાથે અમેરિકા શિફ્ટ થઈ ગઈ છે.

You cannot copy content of this page