Only Gujarat

Bollywood FEATURED

‘તારક મહેતા’માં ઐય્યર-બબિતાજીની જામે છે જુગલ જોડી પણ રિયલ લાઈફમાં ઐય્યર તો છે કુંવારા!

મુંબઈઃ ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ટીવી પડદા પર ખૂબ જ લોકપ્રિય છે. ભારતના ટીવી દર્શક ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ અને તેના કેરેક્ટરને ખૂબ જ પસંદ કરે છે. ‘તારક મહેતા’માં એક એવું જ કેરેક્ટર છે અય્યર. ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં અય્યરનો રોલ તનુજ મહાશબ્દે પ્લે કરે છે. જેમાં તનુજ મબાશબ્દે એટલે કે અય્યર બબીતાના પતિ છે. આ સિરિયલમાં અય્યરની જેઠાલાલ સાથે ખૂબ જ ખટપટ થતી રહે છે. તે જેઠાલાલ ઘણીવાર બબીતાજીની પાછળ ફરતાં જોવા મળે છે. જેને લીધે અય્યર તૈયાર રહે છે. અય્યર ભાઈ સાથે ઘણીવાર જેઠાલાલ બબીતાજીનો હાલ પૂછતા જોવા મળે છે. આ ઉપરાંત ‘અય્યર ભાઈ’ સાથે તે લોકો પણ બબીતાજીનો હાલચાલ પૂછે છે જે બબીતાજીના ફેન હોય છે. ઘણીવાર એવું પણ થાય છે જ્યારે એક્ટર તનુજ મહાશબ્દે સેટની બહાર હોય છે. ફરી તે લોકો તેમને સવાલ કરે છે કે, ‘બબીતાજી કેમ છે?’ તો અમે તમને જણાવીએ તનુજ મહાશબ્દે વિશે.

‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં અય્યરનો રોલ પ્લે કરી રહેલાં તનુજ મહાશ્બેદ મધ્યપ્રદેશના દેવાસના રહેવાસી છે. તનુજ મહાશબ્દેની બોલચાલની લઢણ અને ટીવી પર રોલ જોઈ લોકો તેમને સાઉથ ઇન્ડિયન સમજે છે. તનુજ મહાશબ્દે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘હું સાઉથ ઇન્ડિયાનો નછી. હું મધ્યપ્રદેશના ઇન્દોર પાસે આવેલાં દેવાસનો રહેવાસી છું.’

રિઅલ જિંદગીમાં બબીતા વિશે લોકો પૂછે છે
તનુજ મહાશબ્દેને રિઅલ જિંદગીમાં લોકો બબીતા વિશે પૂછે છે. એક ઇન્ટરવ્યૂમાં તનુજ મહાશબ્દેએ કહ્યું હતું કે, ‘રિઅલ જિંદગીમાં જ્યારે હું બહાર જવ તો દરેક લોકો એવું પૂછે છે કે, બબીતાજી કેવી છે, કોઈ એમ નથી પૂછતું કે અય્યરભાઈ તમે કેમ છો.?’ ઉલ્લેખનીય છે કે, ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સિરિયલમાં બબીતા અય્યરની પત્ની છે.

લેખક છે અય્યર
રિઅલ જિંદગીમાં તનુજ મહાશબ્દે લેખક છે. શરૂઆતમાં તનુજ મહાશબ્દે લેખક તરીકે જ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સાથે જોડાયેલી હતી. પછી તે સિરિયલના મેકર્સે દક્ષિણ ભારતીય કેરેક્ટર જોડ્યું તો અય્યરના રોલ માટે તનુજ મહાશબ્દેને પસંદ કરવામાં આવ્યા. વાસ્તવિક જીવનમાં ‘તારક મહેતા’ સિરિયલ તનુજ મહાશબ્દેની જિંદગી સાથે જોડાયેલો છે. તનુજે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘જ્યારે તે કામ પર આવે છે તો એવું લાગે છે કે ઘરે આવ્યાં છે જ્યારે તે ઘરે જાય છે ત્યારે એવું લાગે છે કે તે ઘરે આવ્યાં છે.’

હજુ સુધી નથી થયાં અય્યરના લગ્ન
‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં બબીતાના પતિ અય્યર એટલે કે તનુજ મહાશ્બ્દેને રિઅલ જિંદગીમાં લગ્ન કર્યાં નથી. તનુજ મહાશબ્દે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘હજુ મારા લગ્ન નથી થયાં.’ અય્યર ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં તિલક કરેલાં જોવા મળે છે. તે રિઅલ જિંદગીમાં પણ ખૂબ જ ધાર્મિક છે અને પૂજા-પાઠ કરે છે.

You cannot copy content of this page