મુંબઈ: ટીવી સીરિયલ ‘અગલે જનમ મોહે બીટિયા હી કીજો’ ફેમ એક્ટ્રેસ રતન રાજપૂત લૉકડાઉન વચ્ચે બિહારના કોઈ ગામમાં ફસાઈ છે. આ ગામ તેનું નથી, પરંતુ આસપાસના લોકો તેના જવાબ જ છે. ગામના લોકોએ તેમની મદદ અને રહેવા માટે એક ઘર પણ આપ્યું છે. ઘરના તમામ કામ રતને મિત્રો સાથે મળીને કરવા પડે છે. જો કે, રતન આ સમયનો આનંદ માણી રહી છે. દાળ ભાત અને રોટલી સાથે ચટણી ખાઈને તેને ગુજારો કરવો પડી રહ્યો છે.
હાલમાં જ રતને એક ઈન્ટરવ્યૂમાં આ વિશે વાત કરી. તેણે કહ્યું કે આ જ ખરેખર જિંદગી છે. તેમનું માનવું છે કે હાલ તે જે શીખી રહી છે તે મુંબઈમાં રહીને ક્યારેય ન શીખી શકી હોત.
રતન ઈન્ટરવ્યૂ દરમિયાન હસી પડી. કહ્યું કે અરે વાહ, અહીં જ્યારે તેને પોતાની ખબર નથી, ત્યાં કોઈએ તેની ખબર કાઢવાનું વિચાર્યું અને આભાર માન્યો. વાત આગળ વધી તો રતને કહ્યું કે, કાંઈ જ વાંધો નથી. એમ કહો કે આ બહાને જીવન જીવવાનો મોકો મળી ગયો.
અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે તે બધું કઈ રીતે મેનેજ કરી રહી છે. તો રતને કહ્યું કે, જો કે દરેક સ્થિતિમાં પોતાની જાતને ન ઢાળી શકે તો તે કલાકાર ન કહેવાય. આવી સ્થિતિમાં કોઈ રડવા લાગે કે હાર માની લે તો પડદા પર મજબૂત દેખાવું બેકાર છે.
રતન કહે છે કે ખરી જિંદગીમાં તો કાંઈક શીખવું જોઈએ. તેમનો આ સમય ખૂબ જ સારી રીતે પસાર થઈ રહ્યો છે. તેમનું માનવું છે કે પડકારો તમને મજબૂત બનાવે છે. ગામમાં ટોઈલેટ પણ નથી.
રતન રાજપૂત આગળ કહે છે કે અહીં સૌથી મોટી પાણીની સમસ્યા છે. જો કે, તે કહે છે કે અમે પાણીને ગાળી લઈએ છે અને પછી ઉકાળીને રાખી લઈએ છે, જેથી તે પીવા લાયક થઈ જાય છે. આ સાથે તે દાળ અને ભાત બનાવી લે છે. ચટણી સાથે વધુ સ્વાદિષ્ટ લાગે છે.
રતને ઈન્સ્ટાગ્રામ પર ચટણી પીસતો એક વીડિયો પર શેર કર્યો હતો. જેમાં તે ચશ્મા પહેરીને જીન્સ-ટી શર્ટમાં ચટણી પીસતી નજર આવી રહી હતી.
રતન કહે છે કે તેને ઘરના લોકોની ખૂબ જ યાદ આવે છે. રાત્રે તે પરિવાર સાથે ફોનથી વાત કરે છે. તેમને આસપાસના લોકો ઓળખી ન જાય એટલે મોઢું ઢાંકીને રાખે છે. હા, જ્યારે તે કરડા સૂકવવા માટે જાય છે ત્યારે ગામને એક નજર જોઈ લે છે, જેથી આ મુશ્કેલ સમયમાં તેને સહારો મળે છે.
લૉકડાઉન વધતા રતનની મુશ્કેલી વધઈ છે, પરંતુ તે હંમેશા હસતી રહે છે. તે કહે છે કે, તે નિર્દેશોની પાલન કરશે. તેને કોઈનાથી ફરિયાદ નથી.
રતન કહે છે કે તેણે બાળપણથી શીખ્યું છે, કે કોઈ પણ સ્થિતિ હોય, દિલથી તૂટવાનું નહીં. તો દિલથી તૂટી ગયો તો કાંઈ જ નહીં બચે. તેમનું માનવું છે કે, આ દિલ જ છે, જે લાખ મુશ્કેલી બાદ પણ હસવા માટે પ્રેરિત કરે છે. રતન કહે છે કે આ ગામથી તે ઘણું શીખીને જશે.