વૈશ્વિક મહામારી કોરોના એક પરિવાર માટે કાળ બનીને આવ્યો. એક એક કરી આખો પરિવાર કોરોનાની બીમારીમાં સપડાઇ ગયો અને પરિવારના છ લોકોને ભરખી ગયો. ઝારખંડના કોયલાનગરી ધનબાદમાં માત્ર એક ભૂલના કારણે આખો પરિવાર ઉજડી ગયો અને માતા સહિત પાંચ પુત્રનો કોરોનાએ જીવ લઇ લીધો.
ધનબાદના કતરાસમાં રહેતા ચૌધરી પરિવાર માટે કોરોના કાળ બની ગયો અને પરિવારના 6 લોકોનું જીવન છીનવી લીધું. ઝારખંડના રિમ્સમાં ભરતી પરિવારના પાંચમાં પુત્રએ પણ કોરોના સંક્રમણને કારણે દમ તોડી નાખ્યો. ઉલ્લેખનીય છે કે આ પરિવારમાં કોરોનાથી પહેલું મૃત્યુ 4 જુલાઇએ 90 વર્ષિય વૃદ્ધ મહિલાનું થઇ હતું જે આ પુત્રની માતા હતી.
કતરાસના ચૌધરી પરિવારની સૌથી વૃદ્ધ મહિલા કોરોના વાયરસ સાથે જોડાયેલા ગાઇડલાઇન્સને નજરઅંદાજ કરી 27 જુલાઇએ પૌત્રના લગ્ન સમારોહમાં સામેલ થવા દિલ્હી ગઇ હતી. દિલ્હીથી પરત ફર્યા બાદ જ્યારે 90 વર્ષની વૃદ્ધ મહિનાની તબીયત બગડી તો હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી જ્યાં રિપોર્ટ આવ્યો કે તે કોરોના સંક્રમિત છે. સારવાર બાદ પણ મહિલાને બચાવી શકાય નહીં અને 4 જુલાઇએ તેનું મૃત્યુ થઇ ગયું.
આ પરિવારની સૌથી મોટી ભૂલ એ હતી કે કોરોનાથી મૃત્યુ બાદ ICMRના દિશા-નિર્દેશોની જગ્યાએ સામાન્ય રીતથી અંતિમ સંસ્કાર કર્યા જેનાથી અન્ય લોકોમાં પણ સંક્રમણ ફેલાઇ ગયું. મહિલાના પુત્ર પણ વાયરસની ઝપેટમાં આવી ગયા.
જ્યારે સમગ્ર પરિવારની તપાસ કરવામાં આવી તો મૃતક મહિલાના બે પુત્ર કોરોના સંક્રમિત જણાઇ આવ્યા અને સારવાર દરમિયાન તેમનું પણ મૃત્યુ થઇ ગયું. ત્યારબાદ સંક્રમણના કારણે જ મહિલાના બીજા બે પુત્ર બીમાર થઇ ગયા. કોરોનાના ડર અને ડિપ્રેશનમાં આવી જવાના કારણે આ બંને પુત્રોનું પણ મૃત્યુ થઇ ગયું.
પરિવારના એક પુત્રનું મૃત્યું ધનબાદની સરકારી હોસ્પિટલમાં થયું જ્યારે બીજાનું કોવિડ સ્પેશિયલ હોસ્પિટલ અને ત્રીજાનું મૃત્યુ રાંચીની રિમ્સ હોસ્પિટલમાં થયું. ચોથા પુત્રનો તપાસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
પરંતુ તેને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી ત્યારબાદ તેને જમશેદપુરના ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો ત્યાં તેનું પણ મૃત્યુ થઇ ગયું. માત્ર 17 દિવસની અંદર જ આ પરિવારમાં કોરોના વાયરસના કારણે 6 લોકોનું મૃત્યુ થઇ ચૂક્યું છે.
મહિલાનો પાંચમો પુત્ર છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ હતો જેને બાદમાં સારી સારવાર માટે રાજધાની રાંચીની રિમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો જ્યાં તેનું પણ હવે મૃત્યુ થઇ ગયું છે. મહિલાનો છઠ્ઠો પુત્ર હજુ દિલ્હીમાં છે.