Only Gujarat

Bollywood

બોલિવૂડની આ જાણીતી સિંગર બીજા પતિથી થઈ જશે અલગ? 8 વર્ષ જૂનો સંબંધ તૂટશે?

મુંબઈઃ બોલિવૂડ સિંગર સુનિધિ ચૌહાણ અત્યારે તેની પર્સનલ લાઇફને લીધે ચર્ચામાં છે. રિપોર્ટ્સ મુજબ, સુનિધિ અને તેનો પતિ હિતેશ સોનિક એકબીજાથી અલગ થઈ ગયા છે. તેમનાં આઠ વર્ષનાં લગ્ન જીવનનો આ લૉકડાઉન દરમિયાન અંત આવ્યો છે. સુનિધી બીજા લગ્ન પણ તૂટવાની કગાર પર હોવાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. બંને અલગ થવાનું વિચારી રહ્યાં છે. સુનિધીએ આ અંગે કંઈ પણ કહેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. આથી જ આ વાતને વધુ વેગ મળ્યો હતો. જોકે, સુનિધીના પતિએ આ વાતને સમજી અને સામેથી જ તેણે ખુલાસો કર્યો હતો.

સ્પૉટબૉયના રિપોર્ટસ મુજબ, સુનિધિ અને હિતેશ છેલ્લાં કેટલાક દિવસોથી અલગ રહેતાં હતાં પણ, તેમની આ વાત લોકોની સામે આવી નહોતી. તેમને આ વિશે પૂછતાં તેમણે કંઈ કહ્યું નહોતું.

સૂત્ર તરફથી મળેલી માહિતી મુજબ, છેલ્લાં કેટલાક દિવસોથી સુનિધિ, હિતેશ અને તેના મિત્રો ગોવાની ટ્રીપ પર ગયા હતા. ત્યાંથી પાછા આવ્યા પછી બંને વચ્ચે વાત વણસી હતી.

સુનિધિ અને હિતેશના લગ્નને આઠ વર્ષ થયાં છે. બંનેએ એકબીજાને ડેટ કર્યાં પછી 20012માં લગ્ન કર્યા હતાં. આ લગ્ન ગોવામાં એક ગ્રાન્ડ રિશેપ્શન સાથે થયા હતાં.

લગ્નના પાંચ વર્ષ પછી જાન્યુઆરી 2018માં સુનિધિએ એક દીકરાને જન્મ આપ્યો હતો. તે ઘણીવાર તેના દીકરા સાથે સોશિયલ મીડિયામાં ફોટો શેર કરતી રહે છે. આ ઉપરાંત તે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વધુ પોતાની પ્રોફેશનલ લાઇફ સાથે જોડાયેલી વસ્તુ શેર કરે છે. જોકે, પતિએ લગ્ન તૂટવાની વાત પર અલગ મત રજૂ કર્યો હતો.

સુનિધીના પતિ હિતેશે કહ્યું હતું કે સુનિધીએ આ અંગે વાત કરવાની એટલા માટે ના પાડી હશે, કારણ કે તેને વિચાર્યું કે આવી પાયાવિહોણી વાત પર શું કરવા કોઈ નિવેદન આપવું. તેઓ હાલમાં એક જ ઘરમાં રહે છે. લૉકડાઉન દરમિયાન તે ઘરનું સારું કામ કરે છે. તેણે ઘરના કામો કરતાં સમયે જ ન્યૂઝ પેપરમાં તેમના લગ્ન અંગે વાચ્યું હતું. તેમણે તો ઘરના કામનો વહેંચણી પણ કરી લીધી છે. હિતેશે મજાકમાં કહ્યું હતું કે કદાચ સુનિધીને તેના ઘરના કામોથી ખુશ નથી અન તેથી જ તે અલગ રહેવા જવાની છે.

ઉલ્લેખનીય છે કે, સુનિધિના બીજા લગ્ન છે. આ પહેલાં સિંગરે 2002માં 18 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા. તેમના પહેલાં લગ્ન બોબીખાન સાથે થયા હતાં. લગ્નના લગભગ એક વર્ષ પછી બંને અલગ થઈ ગયા હતાં.

You cannot copy content of this page