Only Gujarat

Bollywood FEATURED

ઐશ્વર્યા-અભિષેક બચ્ચને જે ઝાડ નીચે સાત ફેરા લીધા હતા તે ઝાડ આજે થયું ધરાશાયી

મુંબઈઃ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. થોડાં દિવસ પહેલાં જ અમિતાબ બચ્ચનના ટ્વીટર પર 43 મિલિયન કરતાં વધુ ફોલોઅર્સ થયાં છે. એવામાં અમિતાભ બચ્ચને તેમના લેટેસ્ટ બ્લોગમાં લખ્યું કે, તેમણે ભારે મને તે ઝાડને અલવિદા કહ્યું, જે પ્રતીક્ષા બંગલોમાં વર્ષોથી ઊભું હતું. આ બ્લોગમાં અમિતાભ બચ્ચને તેમના મા-બાપૂજી અને અભિષેક-એશ્વર્યા રાયના લગ્નના કિસ્સા પણ શેર કર્યા છે, જે તે ઘર અને ઝાડ સાથે જોડાયેલા હતાં. આ ઉપરાંત અમિતાભ બચ્ચને તેમના ઘર સાથે જોડાયેલી દરેક વાતો શેર કરી છે.

અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યું કે, ‘આને (ગુલમોહરના ઝાડે) તેનો સેવાકાળ સમાપ્ત કર્યો અને હવે પડી ગયું. તે મૂળમાંથી તૂટીને અલગ પડી ગયું છે… અને આ જ સાથે તેનો 43 વર્ષ જૂનો ઇતિહાસ પણ પડી ગયો છે. તેની જિંદગી અને તે દરેક જેનું તે પ્રતિનિધિત્વ કરતો હતો.’

અમિતાભ બચ્ચને જણાવ્યું કે, આ ઝાડ કેવી રીતે તેમના સુખ-દુખનો સાક્ષી બન્યું હતું. અમિતાભ બચ્ચને લખ્યું કે, ‘બાળકો તેની આસપાસ રમીને મોટાં થયાં, આ રીતે પૌત્ર-પૌત્રી પણ, તેમના જન્મદિવસ અને તહેવારોની ખુશી પણ આ ગુલમોહરના ઝાડ સાથે જોડાયેલી છે.’

અમિતાભ બચ્ચને લખ્યું કે, ‘બાળકોએ તેનાથી થોડાક જ ફૂટ દૂર લગ્ન કર્યા અને તે તેમના ઉપર અભિભાવક રીતે હતો. જ્યારે મા અને બાપુજીનું નિધન થયું ત્યારે તેની શાખાઓ દુખથી જુકી ગઈ હતી. તેમની પ્રાર્થના સભા, 13માં દિવસે શોકની છાયા હતી’.

અમિતાભ બચ્ચને વધુમાં લખ્યું કે, ‘આ ઝાડની શાખાઓ દુખ અને શોકના ભારથી જુકી ગઈ હતી, જ્યારે તેના વરિષ્ઠ મા અને બાપુજી જતા રહ્યા હતાં. તેમના ગયાના 12માં અને 13માં દિવસે તેમની પ્રાર્થના સભા દરમિયાન દરેક તેની છાયામાં ઊભા હતાં. જ્યારે હોળીના ઉત્સવના એક દિવસ પહેલાં દરેક ખરાબ શક્તિઓને સળગાવવામાં આવતી હતી, આ રીતે દીવાળીના દિવસે રોશની તેની શાખાઓને નિહારતી હતી, અને આજે તે દરેક દુખોથી ચૂપચાપ પડી ગયો, વગર કોઈ આત્માને નુકસાન પહોંચાડી…નીચે લપસ્યો અને તે અચેત થઈ ગયો…’

અમિતાભ બચ્ચને વધુમાં લખ્યું કે, ‘1976માં જે દિવસે અમે અમારા ઘરે પહેલીવાર આવ્યા હતા, જેને આ પેઢીએ ક્યારેક ખરીદીને બનાવ્યું હતું, અને તેને પોતાનું કહ્યું હતું. આ એક છોડની જેમ ઉગાડવામાં આવ્યું હતું, ત્યારે આ થોડાંક જ ઈંચ મોટું હતું… અને તેને લૉનની વચ્ચે ઉગાડવામાં આવ્યું હતું.

અમિતાભ બચ્ચને તેમના ઘરનું નામ ‘પ્રતીક્ષા’ રાખવાનું કારણ પણ જણાવ્યું. અમિતાભ બચ્ચને લખ્યું કે, ‘અમે બાપુજી અને માને અમારી સાથે રહેવાનું કહ્યું હતું. બાપુજીએ ઘરને જોયું અને તેનું નામ આપ્યું ‘પ્રતીક્ષા’. જે તેમની એક રચનાની પંક્તિથી આવ્યું હતું, ‘સ્વાગત સબકે લીયે યહાં પર, નહીં કિસી કે લીયે પ્રતીક્ષા.’

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page