કોરોનાને પરિવારના સભ્યનો લીધો ભોગ, સમયસર એમ્બ્યુલન્સ ના આવતા મનસે નેતાનો ગુસ્સો સાતમા આસમાને
પૂણેની હોસ્પિટલમાં સોમવારે કોઈ સંબંધીનું કોરોનાથી મૃત્યુ બાદ પાર્થિવ દેહને લઈને જવા માટે જ્યારે એમ્બ્યુલન્સ સમયસર પહોંચી ન હતી, ત્યારે સોમવારે નારાજ મનસેના કોર્પોરેટર વસંત મોરે ગુસ્સામાં લાલ થઈ ગયા હતા. ત્યારબાદ તેણે એક અધિકારીની કારના કાચ તોડી નાખ્યા હતા.
મોરેએ જણાવ્યું કે, હોસ્પિટલમાંથી લાશને કાઢવા માટે પાલિકાના વાહન ડેપો પાસે એમ્બ્યુલન્સની માંગ કરવામાં આવી હતી, પરંતુ વારંવાર કોલ કર્યા પછી પણ એમ્બ્યુલન્સ મળવામાં સાડા ત્રણ કલાકથી વધુનો સમય લાગ્યો હતો. ત્યારબાદ તેણે ગુસ્સામાં એક અધિકારીની કારના કાચ તોડી નાખ્યા હતા.
આ મામલે જ્યારે મોરેને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે જો લોકોને પુણેમાં એમ્બ્યુલન્સ ન મળી રહી હોય, તો અધિકારીઓને વાહનોમાં લઈ જવાનો કોઈ અધિકાર નથી.
મોરેએ જણાવ્યું કે, હોસ્પિટલમાંથી લાશને કાઢવા માટે પાલિકાના વાહન ડેપો પાસે એમ્બ્યુલન્સની માંગ કરવામાં આવી હતી, પરંતુ વારંવાર કોલ કર્યા પછી પણ એમ્બ્યુલન્સ મળવામાં સાડા ત્રણ કલાકથી વધુનો સમય લાગ્યો હતો. ત્યારબાદ તેણે ગુસ્સામાં એક અધિકારીની કારના કાચ તોડી નાખ્યા હતા.