Only Gujarat

Bollywood FEATURED

જૂની અંજલીભાભીને ‘તારક મહેતા’ના પ્રોડ્યૂસર અસિત મોદીએ આપ્યો જડબાતોડ જવાબ

મુંબઈઃ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલિ ભાભીનો રોલ કરતી નેહા મેહતા હવે શો છોડી ચૂકી છે. શોના મેકર્સે સુનૈના ફોઝદારને રિપ્લેસમેન્ટ તરીકે શોમાં સામેલ કરી છે. સુનૈનાએ રિપ્લેસ કરતા જ નેહા મેહતાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, તેણે શોમાં પરત આવવા માટે ‘તારક મેહતા…’ની ટીમ સાથે વાત પણ કરી હતી.

નેહા મેહતા શોના પ્રારંભથી જ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’સાથે જોડાયેલી હતી. જ્યારે 12 વર્ષ સુધી કામ કર્યા બાદ તેણે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ છોડ્યું તો ફેન્સને પણ ઝાટકો લાગ્યો. જોકે લોકો સુનૈના ફોઝદારની એક્ટિંગની પણ પ્રશંસા કરી રહ્યાં છે. તારક મેહતાના પ્રોડ્યુસર અસિત મોદીએ પણ જણાવ્યું કે, તેઓ સુનૈના ફોઝદારના કામથી ઘણા ખુશ છે.

કોઈમોઈને આપેલા એક ઈન્ટરવ્યૂમાં અસિત મોદીએ કહ્યું,‘હું સુનૈના ફોઝદારના કામથી 100 ટકા ખુશ છું, લોકો જુના કલાકારોને જોવા ટેવાઈ ગયેલા હોય છે તેથી સામાન્ય રીતે તેઓ રિપ્લેસ થયેલા કલાકાર સાથે જલ્દી કનેક્ટ થતા નથી. જેના કારણે રિપ્લેસમેન્ટ તરીકે આવતા વ્યક્તિ માટે આ પડકારનો સામનો કરવો મુશ્કેલ રહે છે. પરંતુ સુનૈના શાનદાર કામ કરી રહી છે અને લોકો તેના કામની પ્રશંસા કરી રહ્યાં છે.’

અસિત મોદીએ સાથે જણાવ્યું કે,‘જ્યારે નેહાએ શોમાં પરત આવવા સંપર્ક કર્યો ત્યારે અમારી માટે તેને શોમાં ફરી લાવવું મુશ્કેલ થઈ ગયું હતું. હવે દરેક વસ્તુ આગળ વધી ચૂકી છે, રિપ્લેસમેન્ટ પણ આવી ગયું છે.

જે એક્ટ્રેસને લાવવામાં આવી છે તે પણ સારું કામ કરી રહી છે. આ શક્ય નથી કે એકવાર કોઈને શોમાં સામેલ કર્યા બાદ તેને અચાનક હટાવી દેવામાં આવે.’

You cannot copy content of this page