મુંબઈઃ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ભારતીય દર્શકો વચ્ચે ઘણો લોકપ્રિય શો છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં આત્મારામ તુકારામ ભીડેનનો રોલ મંદાર ચંદવાદકર કરે છે, તેમણે ઘણી હિન્દી અને મરાઠી સિરિયલ્સમાં કામ કર્યું છે. જોકે તેમને ઓળખ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’થકી મળી.
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ભીડેનો રોલ કરતા મંદારની ઓળખ રિયલ લાઈફમાં પણ માસ્ટર ભીડે તરીકે થઈ ગઈ છે. તેમણે બીબીસીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,‘છેલ્લા 10 વર્ષમાં મારી ઓળખ માસ્ટર ભીડે તરીકેની થઈ ગઈ છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’એ મારું બીજીવાર નામકરણ કર્યું છે. 2008માં મારું બીજુ નામ રાખવામાં આવ્યું- આત્મારામ તુકારામ ભીડે અને હવે લોકો મને આ નામે જ ઓળખે છે.’
મંદારના નામ સાથે ભીડે એવી રીતે જોડાઈ ગયું છે કે કરિયાણા અને ધોબીના બિલ પણ ભીડેના નામે જ આવે છે. મંદારે જણાવ્યું હતું કે,‘મારા કરિયાણા અને ધોભીના બિલ ભીડેના નામે જ આવે છે. મંદાર નામથી કોઈ ઓળખતું જ નથી.
મંદારના નામ સાથે ભીડે એવી રીતે જોડાઈ ગયું છે કે કરિયાણા અને ધોબીના બિલ પણ ભીડેના નામે જ આવે છે. મંદારે જણાવ્યું હતું કે,‘મારા કરિયાણા અને ધોભીના બિલ ભીડેના નામે જ આવે છે. મંદાર નામથી કોઈ ઓળખતું જ નથી.
મિકેનિકલ એન્જિનિયર છે મંદાર
મંદાર ચંદગાવકર આમ તો મિકેનિકલ એન્જિનિયર છે. ટીવી પર આવતા પહેલા ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ભીડે 3 વર્ષ દુબઈમાં નોકરી પણ કરી ચૂક્યા છે. પરંતુ એક્ટિંગના કારણે તેમને એન્જિનિયરની નોકરી છોડી દીધી. તેમણે કહ્યું કે,‘બાળપણથી જ થિએટરનો શોખ હતો. મે સાતત્ય જાળવી રાખતા પોતાના પેશનને ફોલો કર્યો અને સફળતા મળી.’