ફાર્માસ્યુટિકલ કંપની લ્યુપિન ફાર્માએ બુધવારે કોવિડ -19ની દવા ‘કોવિહાલ્ટ’ લોન્ચ કરી છે. કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીઓની સારવાર ‘કોવિહાલ્ટ’ દ્વારા કરવામાં આવશે. આ ડ્રગમાં એન્ટિ-વાયરલ ડ્રગ ફાવિપિરાવીરનો જ ડોઝ છે. આની એક ટેબલેટ 49 રૂપિયામાં બજારમાં મળશે. કંપનીના જણાવ્યા મુજબ, ડ્રગને ઈમરજન્સીમાં ઉપયોગ કરવા માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓfફ ઈન્ડિયા (DGCI) દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
200 એમજી વાળી 10 ગોળીઓની હશે એક સ્ટ્રિપ
કંપનીના જણાવ્યા અનુસાર, પ્રશાસનની મદદ માટે કોવિહાલ્ટ તૈયાર કરવામાં આવી છે. એક સ્ટ્રીપમાં 200 એમજીની 10 ગોળીઓ હશે. આ દવામાં હાજર એન્ટિ-વાયરલ ડ્રગ ફેવિપીરાવિરને હળવા અને મધ્યમ લક્ષણોવાળા કોરોના દર્દીઓ માટે મંજૂરી આપવામાં આવી છે.
સન ફાર્માએ આ દવા ફ્લુગાર્ડના નામે રજૂ કરી
સન ફાર્માસ્યુટિકલ્સ ઇન્ડસ્ટ્રીઝે તાજેતરમાં કોવિડ -19નાં દર્દીઓ માટે ફ્લુગાર્ડ ટેબ્લેટ લોન્ચ કરી હતી. એક ટેબ્લેટની કિંમત 35 રૂપિયા છે. ફ્લુગાર્ડ ગોળીઓથી દેશમાં હળવા કોરોનાનાં લક્ષણોવાળા દર્દીઓની સારવાર કરાશે. આ ટેબ્લેટમાં ફાવિપિરાવીરનો 200 મિલિગ્રામ ડોઝ છે. સન ફાર્મા દિલીપ સંઘવીની કંપની છે.
કંપનીનો દાવો છે કે ફવીપીરાવીર એ એકમાત્ર એન્ટીવાયરલ દવા છે જે ભારતમાં કોવિડ -19 ની સારવાર માટે માન્ય છે. ફાવપિરાવીર ડ્રગનું ઉત્પાદન જાપાની કંપની ફુજીફિલ્મ હોલ્ડિંગ કોર્પ દ્વારા મોટા પાયે કરવામાં આવે છે. કંપની તેને એવિગન તરીકે બજારમાં વેચે છે, જેનો ઉપયોગ ઈન્ફલ્યુએન્ઝાની સારવાર માટે થાય છે.
બીડીઆર ફાર્માએ 63 રૂપિયામાં બીડીફેવી ટેબ્લેટ લોન્ચ કરી
ફાર્માસ્યુટિકલ કંપની બીડીઆર ફાર્માસ્યુટિકલ્સએ કોરોનાવાળા દર્દીઓ માટે ફેવિપિરાવીર દવાને બીડીએફવી નામની લોન્ચ કરી છે. તેના એક ટેબ્લેટની કિંમત 63 રૂપિયા છે.
કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, ધર્મેશ શાહના જણાવ્યા અનુસાર, ડીસીજીઆઈ પાસેથી દવા બનાવવા માટે મંજૂરી મળી છે. કંપનીની દવા 10 ગોળીઓના પત્તામાં મળશે.
‘કોવિહાલ્ટ’ પહેલાં સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝે કોરોના દર્દીઓની સારવાર માટે ભારતીય બજારમાં ફેવીપીરાવીર દવા ‘ફ્લુગાર્ડ’ રજૂ કરી હતી. એક ટેબ્લેટની કિંમત 35 રૂપિયા છે. જણાવી દઈએ કે ફેવીપીરીવીર એકમાત્ર એવી દવા છે જેને ભારતમાં કોરોનાની એન્ટિવાયરલ સારવાર તરીકે માન્ય રાખવાની મંજૂરી આપવામાં આવી છે.