સપનામાં ભોળા શંભુએ ક્રોધમાં તાંડવ કર્યું? શું થશે તમારી સાથે? જાણો શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
અમદાવાદઃ સૂતા સમયે આપણને ઘણીવાર અનેક પ્રકારના સપનાઓ આવે છે. આપણે સપનામાં અનેક પ્રકારની વસ્તુઓ જોતા હોઈએ છીએ. જોકે, કેટલાંક સપના સારા તો કેટલાંક સપના ખરાબ હોય છે. સ્વપ્ન શાસ્ત્રમાં સપના સાથે જોડાયેલી તમામ વાતો અંગે વિસ્તારથી કહેવામાં આવ્યું છે. અનેકવાર સપનામાં ભગવાન સાથે જોડાયેલી વસ્તુઓ પણ દેખાય છે. જોકે, આપણને તેનો અર્થ ખબર હોતી નથી કે આ શુભ છે કે અશુભ. જો તમને સપનામાં ભગવાન શિવ સાથે જોડાયેલ કોઈ વસ્તુ દેખાય તો સમજો તમારું નસીબ ખુલી ગયું.
જો તમને સપનામાં શિવલિંગ દેખાય તો એનો અર્થ એમ થાય કે લાંબા સમયથી તમારા જીવનમાં ચાલતી મુશ્કેલીઓનો અંત આવશે. શિવલિંગના દર્શન થાય તો બીજા દિવસે સવારે ભૂલ્યા વગર શિવલિંગ પર દૂધ ચઢાવવાનું ભૂલતા નહીં.
સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે, શિવજી સપનામાં તાંડવ કરતાં દેખાય તો તે અશુભ નહીં પણ શુભ છે. આવકમાં વધારો થવા પર ઈશારો કરે છે. એનો એક અર્થ એમ પણ થાય છે કે તમારે સફળતા માટે વધુ મહેનત કરવાની જરૂર છે પરંતુ તમને સફળતા મળશે, તે નક્કી છે.
જો સપનામાં ભગવાન શિવનું મંદિર દેખાય તો તમને લાંબી બીમારીમાંથી છૂટકારો મળશે.
સપનામાં ભગવાન શિવનો સાપ દેખાય તો તમને ધનલાભ થવાનો છે.